CDS Bipin Rawat: હેલિકોપ્ટર દુર્ઘટના પર IAFએ કહ્યું, શહીદોની ગરિમાનું સન્માન કરો, પાયાવિહોણી અટકળોથી બચો
ભારતીય વાયુસેનાએ આજે જણાવ્યું હતું કે IAFએ 8 ડિસેમ્બરે થયેલા દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે. તપાસ ઝડપથી પૂર્ણ થશે અને હકીકત બહાર આવશે.
CDS Bipin Rawat:તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકો શહીદો થતા દેશમાં શોકની લહેર છે, પરંતુ આ દરમિયાન દુર્ઘટનાને લઈને અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે. અટકળો વચ્ચે, ભારતીય વાયુસેના (Indian Air Force)એ કહ્યું કે, દુર્ઘટનાના કારણની તપાસ માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરી (Tri-Service Court of Inquiry)બનાવવામાં આવી છે અને ઝડપી તપાસ હાથ ધરવામાં આવશે.
ભારતીય વાયુસેના (Indian Air Force)એ અકસ્માતની તપાસ અંગે શુક્રવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના (IAF) એ 8 ડિસેમ્બરે થયેલા દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી (Tri-Service Court of Inquiry)ની રચના કરી છે. તપાસ ઝડપથી પૂર્ણ થશે અને હકીકત બહાર આવશે. ત્યાં સુધી, શહીદોની ગરિમાનું સન્માન કરવા માટે, પાયાવિહોણી અટકળો ટાળી શકાય છે.
IAF has constituted a tri-service Court of Inquiry to investigate the cause of the tragic helicopter accident on 08 Dec 21. The inquiry would be completed expeditiously & facts brought out. Till then, to respect the dignity of the deceased, uninformed speculation may be avoided.
— Indian Air Force (@IAF_MCC) December 10, 2021
IAFના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
બીજી તરફ, તમિલનાડુ (Tamil Nadu)માં, ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસની ટીમ કુન્નુર નજીક હેલિકોપ્ટર ક્રેશ સ્થળ પર પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કર્યું.
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના શુક્રવારે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક દિવસ અગાઉ પાલમ એરબેઝ પર CDS રાવત, તેમની પત્ની મધુલિકા અને 11 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 13 લોકો શહીદ થયા હતા. સીડીએસ ઉપરાંત તેમની પત્ની અને 11 સંરક્ષણ કર્મચારીઓ પણ સામેલ હતા. અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સેનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સાંજે 4 વાગ્યે બેરાર સ્ક્વેરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, અર્જુન રામ મેઘવાલ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મુલાયમ સિંહ યાદવ સહિત ઘણા નેતાઓએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.
સીડીએસ જનરલ બિપિન રાવતને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ 17 તોપોની સલામી આપવામાં આવી હતી. અને 800 જવાન સલામી આપશે. CDS રાવત અને તેમની પત્ની મધુલિકાના અંતિમ સંસ્કાર આજે લગભગ 4 વાગે બેરાર સ્ક્વેર ખાતે થવાના છે. જેમાં તમામ VIP સહિત હજારો લોકોની હાજરી રહેશે.
એવું માનવામાં આવે છે કે, મોટી સંખ્યામાં લોકો સીડીએસના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આવશે અને તેથી બેરાર સ્ક્વેર નજીક માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળો અને સેનાના જવાનોની ઘણી કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર પહેલા ત્રણેય સેનાના વડા સીડીએસ જનરલ બિપિન રાવતના નિવાસસ્થાને ગયા હતા.
આ પણ વાંચો : UP Assembly Election:રાજકીય પક્ષોએ સાડા છ કરોડ યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, વચનોની લ્હાણી કરી