Haryana: અપ્રમાણસર સંપત્તિ કેસ, હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને 4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ

ઓમ પ્રકાશ ચૌટાલાને (Om Prakash Chautala) 4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો છે. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલની અદાલતે આ ચુકાદો સંભળાવ્યો. 4 મિલકતો જપ્ત કરવામાં આવશે. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રીને કોર્ટમાંથી જ કસ્ટડીમાં લેવામાં આવશે.

Haryana: અપ્રમાણસર સંપત્તિ કેસ, હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને 4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ
Om Prakash Chautala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 3:06 PM

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અપ્રમાણસર કેસમાં ઓમ પ્રકાશ ચૌટાલાને (Om Prakash Chautala) 4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો છે. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલની અદાલતે આ ચુકાદો સંભળાવ્યો. 4 મિલકતો જપ્ત કરવામાં આવશે. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને કોર્ટમાંથી જ કસ્ટડીમાં લેવામાં આવશે. ગુરુવારે કોર્ટે બંને પક્ષોની સજા પર દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. સીબીઆઈના (CBI) વકીલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને જવાબદાર પદનો દુરુપયોગ કરવા બદલ મહત્તમ સજાની માગ કરી હતી. બીજી તરફ, ચૌટાલાના વકીલે તેમની 87 વર્ષની ઉંમર અને 90 ટકા વિકલાંગતા અને કસ્ટડીમાં વિતાવેલ દિવસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને લઘુત્તમ સજાની માગ કરી હતી.

સીબીઆઈને 5 લાખ રૂપિયા ચૂકવવા પડશે

ઓમ પ્રકાશ ચૌટાલાના વકીલે તેમની ખરાબ તબિયતને ટાંકીને આત્મસમર્પણ કરવા માટે 10 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જેલમાં તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઓમ પ્રકાશ ચૌટાલાએ હવે જામીન માટે હાઈકોર્ટમાં જવું પડશે. બીજી તરફ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની જેલ અને 50 લાખના દંડની સજા ફટકારી છે.

સાથે જ કોર્ટે આદેશ આપ્યો છે કે ચૌટાલાએ સીબીઆઈને અલગથી 5 લાખ આપવા પડશે. જો 5 લાખ નહીં આપવામાં આવે તો આ 4 વર્ષ ઉપરાંત 6 મહિનાની સજા વધી જશે. તે જ સમયે, ઓમ પ્રકાશ ચૌટાલાની 4 સંપત્તિ જપ્ત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. હવે ઓમ પ્રકાશ ચૌટાલાને કોર્ટ પરિસરમાંથી કસ્ટડીમાં લઈ જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં 10 વર્ષની કેદ

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલા શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં 10 વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ ગયા વર્ષે મુક્ત થયા હતા. તે દિલ્હીની તિહાર જેલમાં બંધ હતા. શિક્ષક ભરતી કૌભાંડ મામલે ચૌટાલાને 2013માં જેલમાં મોકલવામાં આવ્યા હતા. ઓપી ચૌટાલા ઉપરાંત, તેમના પુત્ર અજય ચૌટાલા અને અન્ય 53 લોકોને વર્ષ 2000 માં હરિયાણામાં 3206 જુનિયર મૂળભૂત શિક્ષકોની ગેરકાયદેસર ભરતી માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને સજા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2013માં સીબીઆઈની વિશેષ અદાલતે આ તમામને અલગ-અલગ મુદતની જેલની સજા સંભળાવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">