Haryana : હવે સાર્વજનિક સંપત્તિઓને થયેલ નુકસાનની વસુલાત ઉપદ્રવીઓ પાસેથી જ કરવામાં આવશે
Haryana : ગૃહપ્રધાન અનિલ વિજ (Anil Vij) એ કહ્યું કે સંપત્તિ નુકસાન-વસુલી વિધેયક 2021 પર રાજ્યપાલે મહોર મારી દીધી છે.
Haryana : હરિયાણામાં સંપત્તિ નુકસાન-વસુલી વિધેયક 2021 પર રાજ્યપાલે મહોર મારી દીધી છે. આ વિધેયક હવે કાયદો બન્યો છે. આ કાયદા અંતર્ગત હરિયાણામાં હવે સાર્વજનિક સંપત્તિઓને થયેલ નુકસાનની વસુલાત ઉપદ્રવીઓ પાસેથી જ કરવામાં આવશે.
Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજે (Anil Vij) એ કહ્યું છે કે રાજ્યમાં સંપત્તિ નુકસાન-વસુલી અધિનિયમના અમલ સાથે કોઈપણ આંદોલનની આડમાં દુકાનો, સરકારી કચેરીઓ, વાહનો, બસો સહિત તમામ પ્રકારની જાહેર અને ખાનગી સંપત્તિને થતાં નુકસાનની વસુલાત હવે ઉપદ્રવીઓ અને અસામાજિક તત્વો પાસેથી જ કરવામાં આવશે.
Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજ (Anil Vij) એ જણાવ્યું હતું કે હરિયાણા સરકારે આ કાયદા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જાહેરનામું બહાર પાડ્યાની સાથે જ રાજ્યમાં આ કાયદોનો અમલ લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે ભવિષ્યમાં, કોઈપણ આંદોલન દરમિયાન ગરીબ લોકોને અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ઇરાદાઓ ઘટશે. તેમણે કહ્યું કે આંદોલન લોકશાહીની પ્રક્રિયા છે પરંતુ તેની આડમાં નુકસાન પહોંચાડવું ખોટી વાત છે.
Haryana Governor gives assent to Haryana Recovery of Damages to Property During Disturbance to Public Order Act, 2021 pic.twitter.com/dVz8QzI9pB
— ANI (@ANI) May 26, 2021
Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજ (Anil Vij) એ કહ્યું કે આ માટે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે, જે આ પ્રકારની ફરિયાદોની તપાસ કરશે અને દોષિતો સામે કાર્યવાહીનો નિર્ણય લેશે. ક્લેઈમ ટ્રિબ્યુનલની અધ્યક્ષતા હરિયાણા સુપિરિયર જ્યુડિશિયલ સર્વિસીસના અધિકારી કરશે, જેનું નામ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સલાહ લીધા પછી નક્કી કરવામાં આવશે અને તેમાં બે કે તેથી વધુ સભ્યો હોઈ શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે બજેટ સત્રમાં સરકાર વતી વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતું સંખ્યાબળને આધારે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે રાજકીય પક્ષો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે તેમને Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજ (Anil Vij) એક હ્યું કે આ રાજકીય પક્ષોએ કહેવું જ જોઇએ કે શું તેઓ તેમની સાથે છે કે જેઓ સરકારી અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડે છે કે પીડિતોની તરફેણમાં છે?
આ પણ વાંચો : 20 Crore Vaccination : અમેરિકા બાદ ભારતે 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યુ, 130 દિવસમાં હાંસલ કરી સિદ્ધી