Gyanvapi Masjid: જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટના આદેશ પર સ્ટે ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશ જાહેર કર્યો છે. વચગાળાનો આદેશ પસાર કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે વારાણસી કોર્ટ (Varanasi Court)ના આદેશ પર સ્ટે ચાલુ રાખવાનો ચુકાદો આપ્યો છે.
Gyanvapi Masjid: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશ જાહેર કર્યો છે. વચગાળાનો આદેશ પસાર કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે વારાણસી કોર્ટ (Varanasi Court)ના આદેશ પર સ્ટે ચાલુ રાખવાનો ચુકાદો આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાની સુનાવણી વારાણસીના જિલ્લા ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આ મામલાની સુનાવણી અનુભવી અને પરિપક્વ દ્વારા થવી જોઈએ. અમે ટ્રાયલ જજની પૂછપરછ કરી રહ્યા નથી. પરંતુ આ કેસની તપાસ વધુ અનુભવી દ્વારા થવી જોઈએ, તો જ તમામ પક્ષકારોને ફાયદો થશે.
SC suggests that Gyanvapi mosque case should be heard by Dist Judge in Varanasi. “A slightly more seasoned & mature hand should hear this case. We’re not making aspersion on trial judge. But more seasoned hand should deal with this case and it’ll benefit all parties,” SC observes
— ANI (@ANI) May 20, 2022
વચગાળાનો આદેશ ચાલુ રહેશે
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ,મસ્જિદની અંદર પૂજાના મામલાને જિલ્લા ન્યાયાધીશ દ્વારા જોવામાં આવે. જિલ્લા ન્યાયાધીશ મસ્જિદ સમિતિની અરજી પર નિર્ણય કરશે કે હિન્દુ પક્ષનો દાવો કેટલો મજબૂત છે. ત્યાં સુધી શિવલિંગ વિસ્તારની સુરક્ષા અને મુસ્લિમોને નમાજની છૂટ આપવાનો વચગાળાનો આદેશ ચાલુ રહેશે. સુનાવણી દરમિયાન, મસ્જિદ સમિતિના વરિષ્ઠ વકીલ, હુઝેફા અહમદીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા તમામ આદેશોનો સમાજમાં દુરુપયોગ થઈ શકે છે.