ચીન સાથે તણાવભર્યા વાતાવરણમાં સૈન્ય માટે મોદી સરકારનો મહત્વનો નિર્ણય. 500 કરોડની તાકીદે કરી ફાળવણી
ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી તણાવભરી પરસ્થિતિમાં સૈન્ય જવાનો માટે મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ભારતીય સૈન્યને રૂ. 500 કરોડની તાકીદે ફાળવણી કરી છે. ભારતીય સૈન્ય, તેમને ગમે તે સ્થિતિમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના હથિયારો કે હથિયાર પ્રણાલીની ખરીદી કરી શકે તે માટે આ ફંડની ફાળવણી કરી છે. ગલવાન ખીણ પ્રદેશની ઘટના […]
ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી તણાવભરી પરસ્થિતિમાં સૈન્ય જવાનો માટે મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ભારતીય સૈન્યને રૂ. 500 કરોડની તાકીદે ફાળવણી કરી છે. ભારતીય સૈન્ય, તેમને ગમે તે સ્થિતિમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના હથિયારો કે હથિયાર પ્રણાલીની ખરીદી કરી શકે તે માટે આ ફંડની ફાળવણી કરી છે. ગલવાન ખીણ પ્રદેશની ઘટના બાદ વાયુસેનાના વડાએ તણાવગ્રસ્ત લેહ અને લદાખની મુલાકાત લીધી હતી. તો રક્ષાપ્રધાન રાજનાથસિંહ સાથે ચીફ ઓફ આર્મી તેમજ ત્રણેય પાંખના વડાઓ મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ મોદી સરકારે રૂ. 500 કરોડની તાકીદની ફાળવણી કરી છે. ભારતીય સૈન્યને ફાળવેલા આકસ્મિક ફંડમાંથી આધુનિક શસ્ત્રો કે શસ્ત્ર પ્રણાલીની ખરીદી કરવામાં આવશે. જુઓ વિડીયો