મંદીથી સોના-ચાંદીના વેપારીઓ ચિંતામાં, ગત વર્ષની તુલનાએ ખરીદી 30થી 35 ટકા ઘટી
ધન તેરસે ભલે કોઈપણ ખરીદી શુકનવંતી કહેવાતી હોય પરંતુ આકરી મંદીની અસરથી ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોના-ચાંદીની ખરીદીમાં ગત વર્ષ જેવી ચળકાટ જોવા ન મળ્યો હતો. એક તરફ મંદીનો માર અને સોનાનો ભાવ 40 હજારની સપાટીએ પહોંચતા બજાર પર સીધી અસર જોવા મળી છે. સવારથી સોનાના શોરૂમમાં ખરીદી પાંખી દેખાઈ […]
ધન તેરસે ભલે કોઈપણ ખરીદી શુકનવંતી કહેવાતી હોય પરંતુ આકરી મંદીની અસરથી ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોના-ચાંદીની ખરીદીમાં ગત વર્ષ જેવી ચળકાટ જોવા ન મળ્યો હતો. એક તરફ મંદીનો માર અને સોનાનો ભાવ 40 હજારની સપાટીએ પહોંચતા બજાર પર સીધી અસર જોવા મળી છે. સવારથી સોનાના શોરૂમમાં ખરીદી પાંખી દેખાઈ છે. વેપારીઓ આશા રાખી બેઠા હતા કે લોકો ખરીદી કરવા આવશે પરંતુ ગત વર્ષની તુલનાએ ખરીદીમાં 30થી 35 ટકા જેટલો ઘટાડો નોંધાયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો હુમલો, 6 જવાન ઘાયલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો