UP: બકરીના માથાવાળી યોગિની દેવીની પ્રતિમા લંડનથી પરત આવશે, રાષ્ટ્રીય સંગ્રહાલયમાં મુકવા પર વિચારણા

બકરીના માથાવાળી યોગિની દેવીની આ પ્રતિમા 10મી સદીની છે. તે 1979 અને 1982 ની વચ્ચે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના લોખારી ગામના મંદિરમાંથી ચોરાઈ હતી. હાલમાં આ પ્રતિમાને નેશનલ મ્યુઝિયમમાં સ્થાન આપવા માટે વિચારણા ચાલી રહી છે.

UP: બકરીના માથાવાળી યોગિની દેવીની પ્રતિમા લંડનથી પરત આવશે, રાષ્ટ્રીય સંગ્રહાલયમાં મુકવા પર વિચારણા
Goat-headed yogi goddess statue to return from London
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 4:02 PM

આપણા ભારતનો વધુ એક ખૂબ કિંમતી વારસો (heritage) લંડન (London)થી દિલ્હીમાં દેવી યોગીનીની પ્રતિમાના રૂપમાં પરત ફરી રહ્યો છે. આ પ્રતિમાને હાલમાં નેશનલ મ્યુઝિયમમાં સ્થાન આપવા માટે વિચારણા ચાલી રહી છે. યોગિની દેવીની આ પ્રતિમા લગભગ 40 વર્ષ પહેલા ચોરાઈ હતી અને લંડન લઈ જવામાં આવી હતી, આ પ્રાચીન પ્રતિમા (Statue) ઘરે પરત ફરવા જઈ રહી છે.

અગાઉ ભગવાન શિવ અને રામ, સીતા અને લક્ષ્મણની પ્રતિમાઓ દેશમાં પાછી આવી છે. રામ, સીતા અને લક્ષ્મણની પ્રતિમાઓ બે વર્ષ પહેલા તમિલનાડુ સરકારને સોંપવામાં આવી છે.

હાલમાં પ્રતિમાને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રખાશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રતિમાને ભારત મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) આ પ્રતિમાને પરત લાવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે જો ભારતીય હાઈ કમિશન દ્વારા પ્રતિમા યુકે દ્વારા પરત કરવામાં આવી રહી છે, જે એક પ્રશંસનીય પગલું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ માટે ભારત સરકારની સૂચના મુજબ કામગીરી કરવામાં આવશે. જ્યાં સુધી પ્રતિમાને રાખવાના સ્થળની વાત છે તો તે ચોરાયેલી જગ્યાએ પરત મોકલવી કે નહીં તે અંગેનો નિર્ણય સાંસ્કૃતિક મંત્રાલય લેશે. હાલ તેને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં મુકાશે તેવુ માનવામાં આવે છે.

10મી સદીની છે પ્રતિમા

મળતી માહિતી મુજબ આ પ્રતિમા બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન સુધી પહોંચી ગઈ છે. હાઈ કમિશનમાં પ્રાચીન પ્રતિમાને ભારત પરત મોકલવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આ પ્રતિમા 10મી સદીની છે. તે 1979 અને 1982ની વચ્ચે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના લોખારી ગામના મંદિરમાંથી ચોરાઈ હતી.

ઓક્ટોબર 2021માં લંડનમાં રહેલા ભારતના હાઈ કમિશનને ઈંગ્લિશ કન્ટ્રી ગાર્ડનમાં યોગિની દેવીની પ્રતિમા વિશે માહિતી મળી હતી. બાદમાં ભારત સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ આ દિશામાં પગલાં લેવાયા હતા અને લંડન પ્રશાસને પ્રતિમા ભારતને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પ્રતિમાને ઘરે લાવવાની તૈયારી કરી રહ્યું છે.

ક્રિસ મેરિનેલો અને વિજય કુમાર દ્વારા થોડા મહિના પહેલા ભારતના આ આર્ટવર્કને ઓળખવામાં આવી હતી. આર્ટ રિકવરી ઈન્ટરનેશનલના સ્થાપક ક્રિસ મેરિનેલોને આ પ્રતિમા ત્યારે મળી જ્યારે લંડનમાં એક મહિલા તેના પતિના મૃત્યુ બાદ તેના ઘરમાંથી વસ્તુઓ વેચી રહી હતી. આ પછી મેરિનેલોએ નોન-પ્રોફિટ સંસ્થા ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ વિજય કુમારની શરૂઆત કરી. આ કંપનીના સ્થાપક મેરિનેલો ભારતમાંથી ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓની પુનઃપ્રાપ્તિ માટે કામ કરી રહ્યા છે.

આ પણ વાંંચોઃ Ration Card: રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું? કયા દસ્તાવેજોની પડશે જરૂર જાણો

આ પણ વાંચો: સામાજિક કાર્યકર્તા શાંતિ દેવીનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો, સામાજિક કામ માટે મળ્યો હતો પદ્મશ્રી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">