રીયા સાથે ડ્રગ્સની વાત કરનાર ગૌરવ આર્ય કાલે ED સમક્ષ થશે હાજર, 2017મા રીયાને મળ્યો હોવાનુ સ્વીકાર્યુ, સુશાંત કેસમાં સંડોવણીનો કર્યો ઈન્કાર
સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા મની લેન્ડરીગ કેસની તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED) સમક્ષ ગોવાના અંજુના ખાતે હોટલ ધરાવનાર ગૌરવ આર્યા આવતીકાલે થશે હાજર. ગોવાથી મુંબઈ આવતા પૂર્વે મીડિયા સમક્ષ વાત કરતા ગૌરવ આર્યાએ કહ્યું કે તેઓ રિયા ચક્રવતીને 2017માં મળ્યો હતો. પણ ક્યારેય સુશાતસિંહને મળ્યો નથી. મારે સુશાંતસિંહ રાજપુતના મોતને લગતા કેસમાં કોઈ […]
સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા મની લેન્ડરીગ કેસની તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED) સમક્ષ ગોવાના અંજુના ખાતે હોટલ ધરાવનાર ગૌરવ આર્યા આવતીકાલે થશે હાજર. ગોવાથી મુંબઈ આવતા પૂર્વે મીડિયા સમક્ષ વાત કરતા ગૌરવ આર્યાએ કહ્યું કે તેઓ રિયા ચક્રવતીને 2017માં મળ્યો હતો. પણ ક્યારેય સુશાતસિંહને મળ્યો નથી. મારે સુશાંતસિંહ રાજપુતના મોતને લગતા કેસમાં કોઈ લેવા દેવા નથી.
અહી એ જણાવવું જરૂરી છે કે, સુશાંતસિંહના મોતને લગતી તપાસમાં રીયા ચક્રવતીની વોટ્સએપ ચેટ સામે આવી હતી. જેમાં ગૌરવ આર્યા સાથે ડ્રગ્સ બાબતે કરેલી વાતચીત સામે આવી હતી. જેના આધારે 31 ઓગષ્ટ પહેલા ઈડી સમક્ષ હાજર થવા ઈડીએ ગૌરવ આર્યાને નોટીસ મારફતે જણાવ્યું હતું. ગૌરવે રીયા સાથે વોટ્સએપ પર જે વાતચીત કરી હતી તે 2017માં કરી હોવાનું સામે આવ્યું છે. દિલ્લીના ગૌરવ આર્યાએ 2017માં ગોવાના અંજૂના બીચ પર એક કાફે-હોટલ શરૂ કર્યું હતું.
ગૌરવ આર્યાના વકિલનું કહેવુ છે કે સોમવાર 31 ઓગષ્ટે ગૌરવ આર્યા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ સમક્ષ હાજર થશે અને તપાસ એજન્સીને જે કોઈ સવાલ હશે તેના જવાબ આપશે. ગૌરવ ઉપર લાગેલા આરોપ ખોટા હોવાનું પણ જણાવ્યુ હતું.
I have no connection with the case. I never met Sushant Singh Rajput. I met her (Rhea) in 2017: Gaurav Arya at Goa Airport. #SushantSinghRajputCase https://t.co/qIHSBEb70b pic.twitter.com/ADG5MUGVn4
— ANI (@ANI) August 30, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો