ફ્રાન્સથી ગત મોડી રાત્રે ભારત આવ્યા વધુ ચાર રાફેલ યુધ્ધ વિમાન, આંખના પલકારામાં દુશ્મનને કરી દેશે તબાહ
ગઈ મોડી રાત્રે ફ્રાન્સથી વધુ ચાર રાફેલ યુદ્ધ વિમાનો ( Rafale war planes ) ભારત પહોંચ્યા હતા. ભારત પાસે હવે 18 રાફેલ વિમાનનો કાફલો થયો છે. વધુ 18 રાફેલ યુધ્ધ વિમાનો આ વર્ષના અંત સુધીમાં ભારત આવશે.
ગઈ મોડી રાત્રે ફ્રાન્સથી વધુ ચાર રાફેલ યુદ્ધ વિમાનો ( Rafale war planes ) ભારત પહોંચ્યા હતા. ફ્રાન્સથી ઉડેલા આ વિમાન માટે હવામાં જ ઈધણ પૂરવામાં આવ્યુ હતું. રિફ્યુલિંગની ગોઠવણ ફ્રેન્ચ એરફોર્સ અને યુએઈ દ્વારા, ફ્રાન્સથી ભારત સુધીના આઠ હજાર કિલોમીટરના અંતરમાં યુએઈની હવાઈ સરહદમાં નોન સ્ટોપની મુસાફરી દરમિયાન કરવામાં આવી હતી.
ભારત પાસે 18 રાફેલ વિમાન ભારતીય વાયુસેનાના વડા આર.કે.એસ. ભદૌરીયાએ બુધવારે ફ્રાન્સના મરિનાક બોર્ડોક્સ એરબેઝ પરથી ચાર રાફેલ વિમાનોને રવાના કર્યા હતા. વાયુદળના અધિકારીઓએ કહ્યું કે રાફેલ યુદ્ધ વિમાનોનો આ પાંચમો જથ્થો ભારત પહોંચતાની સાથે જ ભારતીય વાયુસેના પાસે હાલમાં કુલ 18 રાફેલ વિમાન છે. આનાથી ભારતીય વાયુ સેના સાથે રાફેલ વિમાનનું એક સ્ક્વોડ્રોન પૂર્ણ થયું છે.
અંબાલા એરબેઝ પર 18 વિમાનનો પ્રથમ સ્કવોડ્રોન પંજાબના અંબાલા એરબેઝ પર 18 વિમાનનો પ્રથમ સ્કવોડ્રોન તહેનાત છે. જ્યારે બીજો સ્ક્વોડ્રન એટલે કે અન્ય 18 રાફેલ વિમાન પશ્ચિમ બંગાળના હાશીમારા એરબેઝ પર તહેનાત કરવાના છે.
એરફોર્સના વડા ભદોરિયા પાંચ દિવસના ફ્રાન્સ પ્રવાસે એરફોર્સના ચીફ ભાદોરિયા સોમવારે પાંચ દિવસના પ્રવાસ માટે ફ્રાન્સ પહોંચ્યા છે. તેઓ ફ્રેન્ચ પાઇલટ્સ સાથે ફ્રાન્સ અને યુએઈની આ વિમાનોને રોકાયા વિના ભારતમાં પહોંચાડવા માટેની વ્યવસ્થાને જોવા ગયા છે.
ચારેય રાફેલ વિમાન મોડી રાત્રે 11.45 વાગ્યે એર બેઝ પર ઉતર્યા ફ્રાન્સથી ઉડેલા ચારેય રાફેલ વિમાન બુધવારે મોડી રાત્રે 11.45 વાગ્યે ભારતીય હવાઇ મથક પર ઉતર્યા હતા. આ વિમાનનું રિફ્યુલિંગ આ વખતે પણ હવામાં થયું હતું, અને આ કાર્ય યુએઈ દ્વારા તેના એરફિલ્ડમાં પણ કરવામાં આવ્યું હતું. ભારતીય દૂતાવાસે પણ કોવિડ -19 રાઉન્ડ દરમિયાન નિર્ધારિત સમયની અંતર્ગત ભારતને હવાલે કરવા અને પાઇલટ્સની યોગ્ય તાલીમ આપવા બદલ રાફેલ વિમાનનો આભાર માન્યો હતો. વિમાનની નોન સ્ટોપ ફ્લાઇટ દરમિયાન હવામાં વિમાનનું રિફ્યુઅલ કરવા બદલ યુએઈનો પણ આભાર માન્યો હતો.
2016 માં, ફ્રાન્સ પાસેથી 36 રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનું નક્કી કર્યું.
સપ્ટેમ્બર 2016માં, ભારત સરકારે ભારતીય વાયુ સેના માટે ફ્રાન્સ પાસેથી કુલ 36 રાફેલ (બે સ્ક્વોડ્રન) યુદ્ધ વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ સંરક્ષણ સોદો બંને સરકારો વચ્ચે 59 હજાર કરોડ રૂપિયામાં થયો હતો. બાકી રહેલા તમામ રાફેલ વિમાનો, 2021ના વર્ષના અંત સુધીમાં વિમાન ભારત પહોંચાડાશે.
ડબલ એન્જિન યુદ્ધ વિમાન પરમાણુ હુમલો કરવા સક્ષમ આ બે એન્જિન ધરાવતા યુદ્ધ વિમાન પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. તે એક સાથે 14 સ્થળોને લક્ષ્ય બનાવી શકે છે. તે હવાથી જમીન અને દરિયાઇ હુમલો માટે હવાઈ સંરક્ષણ કવચ હાથ ધરવામાં સક્ષમ છે. તેમાં એર-ટુ-એર મિસાઇલ્સ, સ્કેલ્પ ક્રુઝ મિસાઇલો અને હેમર સ્માર્ટ વેપન પણ છે.
After a direct ferry from Merignac Air Base, France, the 5th batch of Rafales arrived in India today. The fighters flew a distance of almost 8,000 km with air-to-air refuelling support by France Air Force & UAE Air Force.
(Video source: Indian Air Force) pic.twitter.com/Rt36OJVY3v
— ANI (@ANI) April 21, 2021