પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી રાજ્યસભામાં જઈ શકે! ટ્વીટ કરીને નવી ઈનિંગ શરૂ કરવાની આપી માહિતી

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યસભાના નામાંકિત સભ્યોના નામોને લઈને આજે સરકારના ટોચના નેતાઓની બેઠક થઈ હતી. આ મીટિંગ બાદ જ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે.

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી રાજ્યસભામાં જઈ શકે! ટ્વીટ કરીને નવી ઈનિંગ શરૂ કરવાની આપી માહિતી
Sourav-GangulyImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 7:59 PM

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના (Sourav Ganguly) BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સમાચાર ચાલી રહ્યા છે. દરમિયાન સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે સૌરવ ગાંગુલી નામાંકિત સભ્ય તરીકે રાજ્યસભામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યસભાના નામાંકિત સભ્યોના નામોને લઈને આજે સરકારના ટોચના નેતાઓની બેઠક થઈ હતી. આ મીટિંગ પછી જ સૌરવ ગાંગુલીએ ટ્વીટ (Sourav ganguly tweet) કરીને જાણકારી આપી કે તે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીના રાજકારણમાં આવવાના સમાચાર પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચારીના સમયથી આવી રહ્યા છે, પરંતુ તેમણે હંમેશા આવા સમાચારો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીએ આજે ​​સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેના પછી ગાંગુલીના BCCI અધ્યક્ષ પદ છોડવાના ઘણા સમાચાર આવ્યા હતા. જોકે, BCCI સેક્રેટરી જય શાહે ગાંગુલીના રાજીનામાના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. માહિતી આપતા શાહે કહ્યું છે કે ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું નથી. તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીને વર્ષ 2019માં BCCIના અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટ્વીટર પર લખ્યું, 1992માં શરૂ થયેલી મારી ક્રિકેટ સફરના વર્ષ 2022માં મેં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેણે મને આ લાંબી સફરમાં સાથ આપ્યો, મને દરેક સમયે મદદ કરી, હું એક નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છું, જેથી હું ઘણા લોકોને મદદ કરી શકીશ. હું આશા રાખું છું કે મારી નવી સફરમાં પણ મને તમારા બધાનો સાથ મળશે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અમિત શાહ ગયા મહિને ગાંગુલીને મળ્યા હતા

સૌરવ ગાંગુલીના રાજ્યસભામાં જવાના સમાચાર એટલા માટે પણ તેજ બન્યા છે કારણ કે થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ ગાંગુલીને મળ્યા હતા. તે દરમિયાન અમિત શાહ ગાંગુલીના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા. અમિત શાહ આ રીતે ગાંગુલીને મળ્યા પછી જ આવા સમાચારો તેજ થઈ ગયા હતા કે ગાંગુલી બહુ જલ્દી રાજકારણમાં ડેબ્યૂ કરી શકે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગાંગુલી અમિત શાહ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મળ્યા હતા. તે સમયે એવા અહેવાલ હતા કે ગાંગુલી ટૂંક સમયમાં પાર્ટીનો ભાગ બની શકે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">