RBI ગવર્નર દાસની સલાહને અનુસરી પેટ્રોલ લિટર દીઠ 8.50 રૂપિયા સસ્તુ કરાશે
પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવના મામલે સામાન્ય લોકોને રાહત આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે નાણાં મંત્રાલયે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની સલાહને અનુસરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવના મામલે સામાન્ય લોકોને રાહત આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે નાણાં મંત્રાલયે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની સલાહને અનુસરવાની તૈયારી શરૂ કરી દીધી છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું વિચારી રહ્યું છે. છેલ્લા દસ મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયાથી વધુ કિંમતે વેચાઇ રહ્યું છે.
તાજેતરમાં જ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યને સાથે મળીને વાત કરવી જોઈએ. તેમણે ભાવ ઘટાડા માટે વેરામાં ઘટાડો સૂચવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 60 ટકા ટેક્સ છે. કેન્દ્ર પેટ્રોલના ભાવ પર એક્સાઈઝ ડ્યૂટી વસૂલ કરે છે અને રાજ્ય સરકાર વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ વસૂલ કરે છે.
1 માર્ચે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 91.17 રૂપિયા હતો. ટેક્સની વાત કરીએ તો બેઝ પ્રાઈસ માત્ર 33.26 રૂપિયા હતો. આના પર રૂ 32.90 એક્ઝાઇઝ ડ્યુટી અને 21.04 રૂપિયા વેટ લગાવવામાં આવે છે. આ જ રીતે ડીઝલનો ભાવ પ્રતિ લિટર 81.47 રૂપિયા હતો.જેની બેઝ પ્રાઈસ 34.97 રૂપિયા છે. એક્સાઈઝ ડ્યુટી 31.80 રૂપિયા અને વેટ 11.94 રૂપિયા છે.
એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર રૂ 8.50 ના ઘટાડા અંગે વિશ્લેષકો માને છે કે આની આવક પર કોઈ અસર નહીં પડે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કહ્યું છે કે, ‘અમારું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2021-22માં વાહનના બળતણ પર એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે તો તે રૂ 3.2 લાખ કરોડના અંદાજની તુલનામાં રૂ 4.35 લાખ કરોડમાં પહોંચી જશે.