ભારતમાં વિકસિત BSNLના 4જી નેટવર્કથી કર્યો પ્રથમ ફોન કોલ, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી ટ્વીટ કરી જાણકારી
કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં સંસદમાં જણાવ્યું હતું કે બીએસએનએલને (BSNL) અપેક્ષા છે કે 18-24 મહિનામાં 4જી સેવાઓ (4G Service)ની શરૂઆત થઈ જશે.
કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) રવિવારે કહ્યું કે તેમને BSNLના 4જી નેવટર્કથી પ્રથમ ફોન કર્યો છે. અશ્વિની વેષ્ણવે કહ્યું કે આ નેટવર્ક ભારતમાં ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. તેમને ટ્વીટર પર તેની જાણકારી આપતા લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના આત્મનિર્ભર ભારત ( Aatmanirbhar Bharat)નું વિઝન સાકાર થઈ રહ્યું છે.
કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં સંસદમાં જણાવ્યું હતું કે બીએસએનએલને (BSNL) અપેક્ષા છે કે 18-24 મહિનામાં 4જી સેવાઓ (4G Service)ની શરૂઆત થઈ જશે. કેન્દ્ર સરકારે (Central Government) બીએસએનએલ (BSNL)ના રિવાઈવલ પ્લાનને બે વર્ષ પહેલા 2019માં મંજૂરી આપી હતી. તેમાં સરકારી ટેલિકોમ કંપનીને બજેટ ફાળવણી દ્વારા 4G સેવાઓ માટે સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યુ ટ્વીટ
Made first call over Indian 4G network of BSNL (Designed and Made in India). PM @narendramodi Ji’s vision of Aatmanirbhar Bharat taking shape.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 10, 2021
બીએસએનએલે (BSNL) ઓગસ્ટ મહિનામાં માહિતીના અધિકાર (RTI) કાયદા હેઠળ માંગેલી જાણકારીમાં જણાવ્યું હતું કે લગભગ 78 મહિનામાં કંપનીએ 9.22 કરોડ મોબાઈલ ગ્રાહકો ગુમાવ્યા છે. જવાબમાં જણાવવામાં આવ્યું કે જાન્યુઆરી 2015થી મે 2021 સુધી મોબાઈલના કુલ 9,22,10,990 ગ્રાહકોએ કનેક્શન પરત કર્યા છે.
ટેલિકોમ રેગ્યુલેટર TRAI (Telecom Regulatory Authority of India)એ એક રિપોર્ટમાં જણાવ્યું કે દેશમાં કુલ ટેલીકોમ વપરાશકર્તાઓની સંખ્યા 119.85 કરોડ છે. મોબાઈલ ક્ષેત્રમાં મે 2021 સુધી બજારમાં બીએસએનએલ (BSNL) અને એમટીએલ (MTL)ની ભાગીદારી 10.17 ટકા હતી, જ્યારે ખાનગી કંપનીઓની ભાગીદારી 89.83 ટકા છે.
આ પણ વાંચો: Panchmahal: દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવેનું કામ ખેડૂતોએ આ કારણસર અટકાવ્યું, વિરોધ થતા અધિકારીઓ દોડી આવ્યા