દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 33મો દિવસ, 30 ડિસેમ્બરે સરકારે ખેડૂતોને બેઠક માટે આપ્યું આમંત્રણ
દિલ્લીમાં કૃષિ કાયદાઓના વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ છે. આંદોલન વચ્ચે સરકારે ખેડૂતોને 30મી ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. આ બેઠક બપોરે બે વાગે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા ખેડૂતોએ શનિવારે સરકારને પત્ર લખીને 29મી ડિસેમ્બરે સવારે 11 વાગે બેઠક માટે કહ્યું હતુ. જો કે સરકારે ખેડૂતોને 30મીએ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂતોએ […]
દિલ્લીમાં કૃષિ કાયદાઓના વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ છે. આંદોલન વચ્ચે સરકારે ખેડૂતોને 30મી ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. આ બેઠક બપોરે બે વાગે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા ખેડૂતોએ શનિવારે સરકારને પત્ર લખીને 29મી ડિસેમ્બરે સવારે 11 વાગે બેઠક માટે કહ્યું હતુ. જો કે સરકારે ખેડૂતોને 30મીએ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂતોએ શનિવારની બેઠક બાદ સરકારને વાતચીત માટે 4 શરતો રાખી હતી.