Prophet Muhammad Remark : OICની ટિપ્પણીને વિદેશ મંત્રાલયે ફગાવી, કહ્યું- ભારત સરકાર તમામ ધર્મોને આપે છે સન્માન
વિદેશ મંત્રાલયે કહ્યું કે ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરતી વાંધાજનક ટ્વીટ અને ટિપ્પણીઓ અમુક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓ કોઈપણ રીતે ભારત સરકારના મંતવ્યોને પ્રતિબિંબિત કરતા નથી.
વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) કતાર, ઈરાન, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશોને (Gulf countries) પયગંબર મોહમ્મદ વિશેની વિવાદિત ટિપ્પણી પર જવાબ આપ્યો છે. એક નિવેદન જાહેર કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (IOC) સચિવાલયને તેના સાંપ્રદાયિક અભિગમને આગળ ધપાવવા અને તમામ ધર્મો (All religions) અને ધર્મો પ્રત્યે યોગ્ય આદર દર્શાવવા વિનંતી કરીશું. એ વાત ખેદજનક છે કે OIC સચિવાલયે ફરી એક ભ્રામક ટિપ્પણી કરી છે. તે માત્ર નિહિત સ્વાર્થના ઈશારે ચાલી રહેલા વિભાજનકારી એજન્ડાને ઉજાગર કરે છે.
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરતી વાંધાજનક ટ્વીટ અને ટિપ્પણીઓ અમુક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓ કોઈપણ રીતે ભારત સરકારના મંતવ્યોને પ્રતિબિંબિત કરતા નથી. સંબંધિત સંસ્થાઓ દ્વારા આ વ્યક્તિઓ વિરુદ્ધ પહેલાથી જ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા કતાર, ઈરાન અને કુવૈતે પયગંબર મોહમ્મદ વિશે ભાજપના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રવિવારે ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા.
Our response to media queries regarding recent statement by General Secretariat of the OIC:https://t.co/961dqr76qf pic.twitter.com/qrbKgtoWnC
— Arindam Bagchi (@MEAIndia) June 6, 2022
ગલ્ફ ક્ષેત્રના મહત્વના દેશોએ આ ટિપ્પણીઓની નિંદા કરી અને સખત વાંધો ઉઠાવ્યો છે. કતાર અને કુવૈતમાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “રાજદૂતે માહિતી આપી હતી કે તે ટ્વીટ કોઈપણ રીતે ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. આ સંકુચિત તત્ત્વોના મંતવ્યો છે.’ અપમાન સ્વીકાર્ય નથી. આ વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે આરબ દેશોમાં ટ્વિટર પર ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.