1984ના રમખાણો પર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું મોટું નિવેદન, કહ્યું કે ગુજરાલની સલાહ માની હોત તો ન થતાં રમખાણો
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે જો તત્કાલીન ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઈન્દ્રકુમાર ગુજરાલની સલાહ પર કામ કર્યુ હોત તો દિલ્હીમાં 1984ના શીખ હત્યાકાંડથી બચી શકતા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલની 100મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે ગુજરાલજી એટલા ચિંતિત […]
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે જો તત્કાલીન ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઈન્દ્રકુમાર ગુજરાલની સલાહ પર કામ કર્યુ હોત તો દિલ્હીમાં 1984ના શીખ હત્યાકાંડથી બચી શકતા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલની 100મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે ગુજરાલજી એટલા ચિંતિત હતા કે તે સમયના ગૃહમંત્રી નરસિમ્હા રાવની પાસે ગયા હતા. સ્થિતી એટલી ગંભીર હતી કે સરકાર માટે સેનાને ઝડપી બોલાવવી આવશ્યક હતી. જો તે સલાહને ધ્યાનમાં લેવામાં આવી હોત તો કદાચ 1984ના હત્યાકાંડને ટાળી શકાયો હોત.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1984માં દેશભરમાં થયા હતું રમખાણ
ઉલ્લેખનીય છે કે 1984માં શીખ સુરક્ષાકર્મીઓના હાથે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી દેશભરમાં શીખ વિરોધી રમખાણો થયા હતા. જેમાં લગભગ 3,000 શીખોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દિલ્હીમાં રમખાણોની અસર સૌથી વધારે હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોણ હતા ઈન્દ્ર કુમાર ગુજરાલ
ઈન્દ્ર કુમાર ગુજરાલ 21 એપ્રિલ 1997થી લઈ 19 માર્ચ 1998 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. 30 નવેમ્બર 2012માં 92 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. ગુજરાલની જયંતી પર આયોજિત કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વિદેશ મંત્રી એસ.જયશંકરે તેમને યાદ કર્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]