PM મોદીના 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના સપનાને સાકાર કરવા મનમોહનસિંહની આ ફોર્મ્યુલા માનવી પડશે

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ઉદારીકરણની નીતિઓ પર ઉભા કરેલા આર્થિક સુધારાને જાળવી રાખવાની જરૂરિયાત જણાવતા કહ્યું કે માત્ર વિચારશીલ વ્યૂહરચનાથી ભારતને 5 હજાર અબજ ડૉલરનું અર્થતંત્ર બનાવી શકાય છે. મનમોહનસિંહે જયપુરમાં એક ખાનગી વિશ્વ વિદ્યાલયમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે ગરીબી, સામાજીક અસમાનતા, સાંપ્રદાયિકતા અને ધાર્મિક કટ્ટરવાદ તથા ભ્રષ્ટ્રાચાર […]

PM મોદીના 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના સપનાને સાકાર કરવા મનમોહનસિંહની આ ફોર્મ્યુલા માનવી પડશે
Follow Us:
| Updated on: Sep 08, 2019 | 8:04 AM

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ઉદારીકરણની નીતિઓ પર ઉભા કરેલા આર્થિક સુધારાને જાળવી રાખવાની જરૂરિયાત જણાવતા કહ્યું કે માત્ર વિચારશીલ વ્યૂહરચનાથી ભારતને 5 હજાર અબજ ડૉલરનું અર્થતંત્ર બનાવી શકાય છે.

મનમોહનસિંહે જયપુરમાં એક ખાનગી વિશ્વ વિદ્યાલયમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે ગરીબી, સામાજીક અસમાનતા, સાંપ્રદાયિકતા અને ધાર્મિક કટ્ટરવાદ તથા ભ્રષ્ટ્રાચાર લોકશાહીની સમક્ષ ઘણા મોટા પડકારો છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે હાલના સમયમાં આપણી અર્થવ્યવસ્થા ધીમી પડતી જોવા મળી રહી છે. GDP દરમાં ઘટાડો થઈ રહ્યો છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોકાણની ટકાવારી સ્થિર છે. ખેડૂતો મુશ્કેલીમાં છે. બેન્કિંગ પ્રણાલી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. બેરોજગારી વધી રહી છે. ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે એક વિચારશીલ રણનીતિની જરૂરિયાત છે. તેમને સલાહ આપી કે સરકારે ટેક્સ આતંકવાદ બંધ કરવો જોઇએ, અલગ અલગ વિચારોની અવાજોનું સન્માન કરવું જોઈએ અને સરકારને દરેક સ્તર પર સંતુલન લાવવુ જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેમને કહ્યું કે ઉદારીકરણની નીતિઓ પર ઉભા કરેલા આર્થિક સુધારાઓની જાળવી રાખવા સમયની માગ છે. દેશમાં લોકશાહીના મૂળોને મજબુત બનાવવાની વાત કરતા રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય મનમોહનસિંહે કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે જાણકાર અને દૂરદર્શી નેતાઓની જરૂર છે.

બંધારણમાં લોકશાહીની શક્તિ શામેલ છે અને રાજકીય પક્ષોએ બંધારણમાં જણાવેલા મૂલ્યોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા કરવી પડશે. આપણી એકતા બની રહે તેના માટે જરૂરી છે કે સરકાર ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની સાથે સાથે એવુ વાતાવરણ આપે કે અલગ અલગ વિચારોનું સન્માન કરે. તેમને કહ્યું કે આપણે સાંસદ અને તેમની પ્રક્રિયાઓનું સર્વોચ્ચતાથી સન્માન કરવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેમને વધુમાં જણાવ્યું કે લોકોની જેમ જેમ આવક વધવા માંડે છે, તેમજ સમાજની આકાંક્ષાઓ પણ બદલાઈ જાય છે અને આખરે લોકો લોકશાહીનું માળખું ઈચ્છે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">