EVM ની વિશ્વસનિયતા અકબંધ, 5 રાજ્યોની ચૂંટણીઓમાં VVPAT સાથે મેચ થયો દરેક વોટ

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન (EVM)અને વોટર વેરિફાઇબલ પેપર ટ્રેલ્સ (VVPAT)માં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં નોંધાયેલા મત એકબીજા સાથે 100 ટકા મેચ થયા છે. ભારતીય ચૂંટણી પંચના અધિકારીએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું હતું કે "ડેટા ઇવીએમ અને વીવીપીએટી વચ્ચે 100 ટકા મેચિંગ બતાવે છે. જે તેની ચોકસાઈ અને પ્રમાણિકતાને સાબિત કરે છે.

EVM ની વિશ્વસનિયતા અકબંધ, 5 રાજ્યોની ચૂંટણીઓમાં VVPAT સાથે  મેચ થયો દરેક વોટ
EVM ની વિશ્વસનિયતા અકબંધ
Follow Us:
| Updated on: Jun 03, 2021 | 9:35 PM

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન (EVM)અને વોટર વેરિફાઇબલ પેપર ટ્રેલ્સ (VVPAT)માં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં નોંધાયેલા મત એકબીજા સાથે 100 ટકા મેચ થયા છે. ભારતીય ચૂંટણી પંચના અધિકારીએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું હતું કે “ડેટા ઇવીએમ અને વીવીપીએટી વચ્ચે 100 ટકા મેચિંગ બતાવે છે. જે તેની ચોકસાઈ અને પ્રમાણિકતાને સાબિત કરે છે. જ્યારે  આ પરિણામ તેની પહેલાની જેમ તેની પ્રામાણિકતાને પુષ્ટિ આપે છે.”

કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં આ વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજવામાં આવી હતી.જેની બાદ તેની વિશ્વનીયતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા.

ઇવીએમ(EVM) 1989માં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. 2019 ની સામાન્ય ચૂંટણીમાં ભારતના તમામ મતક્ષેત્રોમાં વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, 2014 માં, વીવીપીએટીનો ઉપયોગ ફક્ત આઠ મતક્ષેત્રોમાં થયો હતો. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 1,492 વીવીપીએટી મશીનો, તમિળનાડુમાં 1,183, કેરળમાં 728, આસામમાં 647 અને પુડુચેરીમાં 156 મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

એપ્રિલ 2019 માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ચૂંટણી પંચને 2019 ની સામાન્ય ચૂંટણીમાં દરેક સંસદીય ક્ષેત્રના પાંચ ઇવીએમમાં ​​મેન્યુઅલ રીતે વીવીપેટ સ્લિપની ગણતરી કરવી ફરજિયાત રહેશે. દેશની ટોચની અદાલતનો આ નિર્દેશ 21 વિપક્ષી પાર્ટીઓએ કરેલી અરજી બાદ આવ્યો હતો.

જ્યારે વર્ષ 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી પંચને પત્ર લખીને ઇવીએમ ગણતરીઓ સાથેની તમામ વીવીપેટ કાગળની કાપલીઓની સંખ્યા નક્કી કરવા જણાવ્યું હતું.  વીવીપીએટી સ્લિપની સંખ્યા અને સંબંધિત ઇવીએમની ગણતરી વચ્ચે મેચ ન થતા  કિસ્સામાં વીવીપીએટીની  ગણતરી જ માન્ય રાખવામાં આવે છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">