કાશ્મીરના કુલગામમાં સેનાનું ઓપરેશન, ખુંખાર આતંકીઓ સાથે અથડામણ

સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ અનુસાર, જૂન 2022 સુધી સેનાએ 130 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. જ્યારે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન 20 નાગરિકો અને 19 સુરક્ષા દળોના જવાનો પણ શહીદ થયા છે.

કાશ્મીરના કુલગામમાં સેનાનું ઓપરેશન, ખુંખાર આતંકીઓ સાથે અથડામણ
Encounter in Kulgam (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 7:34 AM

Encounter in kashmir  જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) થયું છે. આ કાર્યવાહીમાં સેનાની સાથે પોલીસકર્મીઓ પણ ઉપસ્થિત છે. આ એન્કાઉન્ટર કુલગામના હડીગામ (Hadigam) વિસ્તારમાં થઈ રહ્યું છે. સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ જ્યા છુપાયા છે તે સમગ્ર વિસ્તારને સેના અને પોલીસે કોર્ડન કરી લીધો છે. વિશેષ ઈન્ટેલિજન્સ દ્વારા ઈનપુટ મળ્યા બાદ સેના અને પોલીસે આ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જ સેના અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ચારે તરફથી ઘેરાઈ ગયા હોવાનું જાણ્યા બાદ, આતંકીઓએ સૈન્ય અને પોલીસ ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો (encounter in kashmir). હાલમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર ચાલુ છે.

ટાર્ગેટ કિલિંગ બાદ અનેક આતંકીઓ ઠાર

આ વર્ષે આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગના વધતા જતા કિસ્સાઓ વચ્ચે સેના સતત આતંકવાદીઓનો સામનો કરી રહી છે. અને મોટી સંખ્યામાં આતંકી કમાન્ડરો અને આતંકવાદીઓ માર્યા ગયા છે. સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ અનુસાર, જૂન 2022 સુધી સેનાએ 130 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. જ્યારે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન 20 નાગરિકો અને 19 સુરક્ષા દળોના જવાનો પણ શહીદ થયા છે.

અગાઉ કુપવાડામાં કરાયુ હતુ એન્કાઉન્ટર

અગાઉ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયુ હતું. એન્કાઉન્ટકર દરમિયાન સુરક્ષા દળોએ શૌકત અહેમદ શેખ સહિત બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે એ સમયે જણાવ્યુ હતુ કે, આતંકવાદી શૌકત સહિત 2 વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. કુપવાડા એન્કાઉન્ટરમાં કુલ ચાર આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">