રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન, ભારતીય ખેડૂતોનું ઉત્પાદન વિશ્વને મદદ કરી રહ્યું છે: નરેન્દ્ર સિંહ તોમર

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે કોરોના (COVID) રોગચાળા દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે સરકારે ડાંગર અને ઘઉંના પાકનું ઉત્પાદન વધારીને રેકોર્ડ ખરીદી કરી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન, ભારતીય ખેડૂતોનું ઉત્પાદન વિશ્વને મદદ કરી રહ્યું છે: નરેન્દ્ર સિંહ તોમર
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 10:46 PM

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ (Narendra Singh Tomar) તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે કોરોના (COVID) રોગચાળા દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ઉદ્યોગ સંગઠન FICCI દ્વારા આયોજિત ‘8માં ઈન્ડિયા માઈઝ સમિટ 2022’ને સંબોધતા નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું, કે કોરોના રોગચાળા દરમિયાન ખેડૂતોએ બમ્પર અનાજનું ઉત્પાદન (Food grains) કર્યું હતું. જ્યારે સરકારે ડાંગર અને ઘઉંના પાકનું ઉત્પાદન વધારીને રેકોર્ડ ખરીદી કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સમયગાળામાં ભારતની કૃષિ પેદાશોની નિકાસ પણ રૂ. 4 લાખ કરોડને પાર કરી ગઈ છે, જે પ્રોત્સાહક છે. તોમરે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે વૈશ્વિક માંગ વધી હોવાથી ભારત મોટા પાયે ઘઉંની નિકાસ કરી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતીય ખેડૂતોનું ઉત્પાદન વિશ્વને ઉપયોગી થઈ રહ્યું છે.

કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવાની જરૂર છે

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ભારત કૃષિ પર આધારિત છે. દેશની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રની ઉચ્ચ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આ ક્ષેત્રમાં રોકાણ વધારવાની અને આધુનિક તકનીકો રજૂ કરવાની જરૂર છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરતી વખતે સરકારે પીએમ કિસાન સહિત ઘણા સુધારા કાર્યક્રમો શરૂ કર્યા છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

આ પરિષદમાં મકાઈની ખેતી વિશે બોલતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, મકાઈની જરૂરિયાત અને ઉપયોગિતા વિશે સૌ કોઈ જાણે છે. ઘઉં અને ચોખા પછી મકાઈ એક એવો પાક છે, જે સૌથી વધુ ઉગાડવામાં આવે છે. ખાદ્ય અનાજની સાથે, તે મરઘાંના ખોરાક, ઇથેનોલમાં પણ જોવા મળે છે. તે બહુમુખી પાક છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર અત્યારે પાકમાં વૈવિધ્યકરણની વાત કરે છે ત્યારે અમે ઘઉં અને ડાંગરના ખેડૂતો મકાઈના પાક તરફ આકર્ષાય તેની ખાતરી કરીએ છીએ. મકાઈના સારા ભાવ મેળવવા, મકાઈ આધારિત પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે જ સમયે, કૃષિ મંત્રાલય દ્વારા MSP વધારવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">