Indian Navyને મળશે કવચ, દુશ્મનને તબાહ કરનારી ઘાતક મિસાઈલનું સફળ પરીક્ષણ
મંગળવારે ઓડિશાના ચાંદીપુરમાં ભારતીય નૌકાદળના જહાજથી આ વિશેષ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ડ્રોન જેવા ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ફાઈટર એરક્રાફ્ટ અથવા મિસાઈલ તરીકે હવામાં ઉડાડવામાં આવ્યું હતું.
ભારતીય નૌકાદળને (Indian Navy) ટૂંક સમયમાં વધુ એક સુરક્ષા કવચ મળવા જઈ રહ્યુ છે. દરિયામાં દુશ્મનના ફાઈટર પ્લેન, મિસાઈલ અને ડ્રોનથી બચવા અને તેને નષ્ટ કરવા માટે એક ખાસ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે. મંગળવારે ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)ને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. તે આંખના પલકારામાં હવામાં ઉડતી કોઈપણ વસ્તુનો નાશ કરી શકે છે.
મંગળવારે ઓડિશાના ચાંદીપુરમાં ભારતીય નૌકાદળના જહાજથી આ વિશેષ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ડ્રોન જેવા ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ફાઈટર એરક્રાફ્ટ અથવા મિસાઈલ તરીકે હવામાં ઉડાડવામાં આવ્યું હતું. આ મિસાઈલોમાં સ્વદેશી ટેક્નોલોજીથી બનેલું રેડિયો ફ્રીક્વન્સી ડિટેક્શન ડિવાઈસ પણ છે. તે સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને ઓળખે છે.
DRDO, Indian Navy successfully flight-test VL-SRSAM surface-to-air Missile off Odisha coast
Read @ANI Story | https://t.co/SZP6jYsOIb#DRDO #IndianNavy #VLSRSAM pic.twitter.com/8bCfnda2zF
— ANI Digital (@ani_digital) August 23, 2022
જૂનમાં સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું
આ પહેલા પણ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ એટલે કે VL-SRSMનું સફળ પરીક્ષણ આ વર્ષે જૂનમાં કરવામાં આવ્યું છે. તે દરમિયાન પણ આ મિસાઈલ નૌકાદળના જહાજથી છોડવામાં આવી હતી. આ દરમિયાન જોવામાં આવ્યું કે આ મિસાઈલ લોન્ચ થઈ શકે છે કે નહીં. પરીક્ષણ દરમિયાન પણ મિસાઈલે હવામાં ઝડપથી છોડેલી વસ્તુને નિશાન બનાવી હતી. આ સમય દરમિયાન તે તમામ માપદંડોને પૂર્ણ કરે છે. આ પરીક્ષણ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ DRDO અને નેવીને અભિનંદન પાઠવ્યા હતા.
ડીઆરડીઓએ વિકાસ કર્યો
એવું માનવામાં આવે છે કે નૌકાદળ દ્વારા હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપવા માટે આ મિસાઈલનો ઉપયોગ કરી શકાય છે. અગાઉ, ડીઆરડીઓએ પૃથ્વી મિસાઈલને એન્ટિ-શિપ અને એન્ટિ-સરફેસ એપ્લિકેશન્સ માટે ધનુષ તરીકે વિકસાવી હતી. પરંતુ આ મિસાઈલનો કોઈ વ્યવહારિક ઉપયોગ જોવા મળ્યો ન હતો. તેને પરીક્ષણ માટે માત્ર એક જ યુદ્ધ જહાજ પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. ધનુષ મિસાઈલના લોન્ચરને રિપેર કરવાનું બાકી હતું.
જોકે ખતરનાક બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ ભારતીય નૌકાદળ તેના અનેક યુદ્ધ જહાજોમાં કરે છે. લગભગ 600થી 800 કિમીની રેન્જમાં હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનું પણ યુદ્ધ જહાજોથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.