ડો. હર્ષવર્ધનનો બાબા રામદેવને પત્ર, કહ્યું તમારું નિવેદન કોરોના યોધ્ધાનું અપમાન

યોગગુરુ રામદેવના એલોપથી અને ડોક્ટરો અંગેના નિવેદનથી વિવાદ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને રવિવારે યોગગુરુ રામદેવને પત્ર લખીને નિવેદન પાછું લેવા માંગ કરી છે. હર્ષવર્ધને  યોગ ગુરુ રામદેવના નિવેદનને કોરોના યોધ્ધાનું અપમાન અને કોરોના સામે લડત લડતા તબીબો માટે કમનસીબ ગણાવ્યું છે.

ડો. હર્ષવર્ધનનો બાબા રામદેવને પત્ર, કહ્યું તમારું નિવેદન કોરોના યોધ્ધાનું અપમાન
ડો. હર્ષવર્ધનનો બાબા રામદેવને પત્ર, કહ્યું તમારું નિવેદન કોરોના યોધ્ધાનું અપમાન
Follow Us:
| Updated on: May 23, 2021 | 8:17 PM

યોગ ગુરુ Ramdev ના એલોપથી અને ડોક્ટરો અંગેના નિવેદનથી વિવાદ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને રવિવારે યોગગુરુ રામદેવને પત્ર લખીને નિવેદન પાછું લેવા માંગ કરી છે. હર્ષવર્ધને  યોગ ગુરુ રામદેવના નિવેદનને કોરોના યોધ્ધાનું અપમાન અને કોરોના સામે લડત લડતા તબીબો માટે કમનસીબ ગણાવ્યું છે.

યોગ ગુરુ Ramdev નું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ IMA સહિતના ડોકટરોની વિવિધ સંસ્થાઓએ રામદેવ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે પછી પતંજલિ યોગપીઠે એક નિવેદનમાં કહ્યું હતું કે આ અંગે બાબા રામદેવનો હેતુ ખોટો નથી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ Ramdev ને લખેલા પત્રમાં કહ્યું છે કે, એલોપેથિક દવાઓ અને ડોકટરો અંગેની તમારી ટિપ્પણીથી દેશવાસીઓ ખૂબ દુ:ખી છે. મેં તમને ફોન પરની આ લાગણીથી પહેલેથી જ વાકેફ કર્યા છે. કોરોના સામે રાત દિવસ લડતા ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ ભગવાન તુલ્ય છે.

દેશવાસીઓની લાગણીઓને પણ ઠેસ પહોંચાડી

તમારા નિવેદને માત્ર કોરોના યોદ્ધાઓનો અનાદર જ નથી કર્યો પરંતુ દેશવાસીઓની લાગણીઓને પણ ઠેસ પહોંચાડી છે. ગઈકાલે તમે જે સ્પષ્ટતા બહાર પાડી છે તે લોકોની દુભાયેલી લાગણીઓ માટે અપૂરતી છે.

કોરોના સામેની લડાઈ  સામૂહિક પ્રયત્નોથી જ જીતી શકાય

તેમણે વધુમાં કહ્યું, “તમે કહ્યું કે દુર્ભાગ્ય છે કે કરોડો કોરોના દર્દીઓ એલોપથીની દવા ખાવાથી મરી ગયા.” આપણે ભૂલવું ન જોઈએ કે કોરોના રોગચાળા સામેની આ લડાઈ ફક્ત સામૂહિક પ્રયત્નોથી જ જીતી શકાય છે. જે રીતે આપણા ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દિવસ અને રાત પોતાનો જીવ જોખમમાં મૂકીને જીવન બચાવવા માટે મહેનત કરે છે. તે તેમની ફરજ અને માનવ સેવા પ્રત્યેની વફાદારીનું એક અજોડ ઉદાહરણ છે.

ડો.હર્ષવર્ધને યોગ ગુરુ Ramdev ના નિવેદન પર વધુમાં કહ્યું કે એલોપથી થેરેપીને કોરોના સારવાર તમાસો,બેકાર અને દિવાળું કાઢનારી ગણાવી તે કમનસીબ છે. તમારું નિવેદન ડોકટરોનું મનોબળ તોડવા અને કોરોના સામેની લડતને નબળી પાડનારું સાબિત થઈ શકે છે.

વિશ્વભરના કોરોના યોધ્ધાઓની ભાવનાઓને માન આપો 

બાબા રામદેવને સમગ્ર નિવેદન પરત લેવાનું કહેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું, “આશા છે કે, તમે તમારા વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ નિવેદનને સંપૂર્ણ રીતે પાછું ખેંચી લેશો. તેની ગંભીરતાને ધ્યાનમાં લેતા અને વિશ્વભરના કોરોના યોધ્ધાઓની ભાવનાઓને માન આપશો.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">