QUAD બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ પર ચર્ચા થઈ, વડાપ્રધાન મોદીએ કહ્યું- સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલ શોધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. આવી સ્થિતિમાં આપણે હિંસાનો માર્ગ છોડીને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંકટનો અંત લાવવો જોઈએ.
યુક્રેન (Ukraine) પર રશિયાના હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે ક્વાડ સમિટમાં (Quad) ભાગ લીધો હતો. વર્ચ્યુઅલ મીટિંગમાં યુએસ પ્રમુખ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ હાજર હતા. બેઠકમાં તમામ દેશોના નેતાઓએ યુક્રેન પર બગડતી સ્થિતિ અંગે પણ વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દરેક મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. આવી સ્થિતિમાં આપણે હિંસાનો માર્ગ છોડીને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંકટનો અંત લાવવો જોઈએ.
વર્ચ્યુઅલ સમિટમાં, સપ્ટેમ્બર 2021માં યોજાયેલી ક્વાડ સમિટમાં નક્કી કરવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે નેતાઓએ આસિયાન, હિંદ મહાસાગર ક્ષેત્ર અને પેસિફિક ટાપુઓમાં વિકાસ સહિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન, ચાર દેશોના નેતાઓએ આ વર્ષના અંતમાં જાપાનમાં યોજાનારી સમિટ પહેલા નક્કર પરિણામો પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરવું જોઈએ અને પરસ્પર સહયોગ વધુ તીવ્ર બનાવવો જોઈએ.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ક્વાડને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે તમામ જરૂરી પગલાં લેવાની જરૂર છે. પીએમ મોદીએ માનવતાવાદી અને આપત્તિ રાહત, સ્વચ્છ ઉર્જા કનેક્ટિવિટી તરફ મહત્વપૂર્ણ પગલાં લેવા પર ભાર મૂક્યો છે.
ક્વોડ શું છે ?
હિંદ મહાસાગરમાં સુનામી પછી, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએસએ આપત્તિ રાહત પ્રયત્નોને ટેકો આપવા માટે અનૌપચારિક જોડાણ બનાવ્યું. સામાન્ય રીતે ક્વાડ ચાર દેશોનું સંગઠન છે. જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે.
યુક્રેન-રશિયા યુદ્ધ એક અઠવાડિયાથી ચાલુ છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. આજે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની બેઠક યોજાવાની છે. આશા છે કે આમાં કોઈ ઉકેલ મળશે. ખાર્કિવના પ્રાદેશિક વહીવટના વડા, ઓલેગ સિન્યુબોવે જણાવ્યું હતું કે રશિયન સૈનિકોએ છેલ્લા 24 કલાકમાં 21 યુક્રેનિયનોની હત્યા કરી છે. જ્યારે તેના હુમલામાં 112 ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : Russia Ukraine War: બનારસમાં પીએમ મોદીએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી, તેમની સ્થિતિ વિશે કરી પૂછપરછ