વાત હવે H1N1 વાયરસ એટલે કે સ્વાઈન ફ્લુની કરીએ તો દિલ્હીમાં તેના 412 કેસ નોંધાઈ ચુક્યા છે
કેમ છે ખતરનાક?
સ્વાઈન ફ્લુ પણ એક સંક્રમણથી ફેલાતી જ બિમારી છે જો ઈન્ફ્લુએન્ઝા એ વાયરસનાં કારણે થાય છે. આ પ્રકારનાં વાયરસ વધારે પડતા ડુક્કરમાં જોવા મળે છે એટલે જ તેને સ્વાઈન ફ્લું કહેવામાં આવે છે. દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં 412 કેસની સંખ્યા થઈ ગઈ છે. પાછલા ઘણા વર્ષથી દિલ્હીમાં સ્વાઈન ફ્લુ એક્ટીવ છે. વર્ષ 2010માં પહેલી વાર સ્વાઈન ફ્લુંનો મામલો સામે આવ્યો ત્યારે 2725 લોકોની જાન ગઈ હતી.
શું છે લક્ષણ અને અસર ?
તાવ સાથે વહેતું નાક, ગળામાં સોજો આવી જવો અને છાતી જામ થઈ જવાની ફરિયાદ આ બિમારીમાં આવે છે જેને લઈને તપાસ કરાવી લેવી જરૂરી છે. ત્રણ દિવસ કરતા વધારે સમય સુધી 101 ડિગ્રી કરતા વધારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, ભૂખ ઓછી થઈ જવી પણ તેના જ લક્ષણ છે. મોટાભાગનાં લોકોને આ વાયરસ હળવો બિમાર કરે છે અને 1 ટકા કરતા પણ ઓછા લોકોને ખરેખર દવા કરવાની જરૂર પડે છે.
સાવધાની-
સંક્રમણનાં કલક્ષણ સામે આવ્યા બાદ બે દિવસમાં એન્ટીવાયરલ ડ્રગ આપવી જરૂરી છે જેનાથી બિમારીની તિવ્રતાને ઓછી કરી શકાય છે. હોસ્પિટલ અને બીજા કોઈ સ્થાન પર જતા સમયે માસ્ક ખાસ પહેરવું જોઈએ અને હાથમાં મોજા પહેરવા પણ જરૂરી છે.
દિલ્હીમાં આ વર્ષે ડેન્ગ્યુંના કેસમાં 91%નો વધારો