કર્ણાટકમાં ‘અગ્નિ ખેલી’ ઉત્સવમાં ભક્તો એકબીજા પર ફેંકે છે આગ, જુઓ વિડીયો
Karnatak : 'અગ્નિ ખેલી' અથવા 'થૂથેધારા'ની વિધિ દર વર્ષે એપ્રિલ મહિનામાં મંદિરમાં ભવ્ય ઉત્સવના ભાગરૂપે થાય છે જે સતત આઠ દિવસ સુધી ચાલુ રહે છે.
ભારતમાં વર્ષો જૂની પરંપરા મુજબ સેંકડો ભક્તોએ કર્ણાટક (Karnataka) ના મેંગલુરુ (Mangaluru) માં આવેલ કાટીલ નગરના એક મંદિરમાં દેવી દુર્ગાને આદર આપતી વખતે એકબીજા પર સળગતા લાકડાઓ ફેંકે છે. કર્ણાટકના મેંગલુરુથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા કાટીલ નગર (Kateel town) માં આવેલા દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દેવીને પ્રસન્ન કરવા માટે માત્ર ધોતી પહેરેલા પુરુષોએ સદીઓ જૂની અગ્નિ લડાઈની અનોખી વિધિ, ‘અગ્નિ ખેલી’માં (Agni Kheli) એકબીજા પર સળગતા લાકડા ફેંકવામાં આવે છે.
જુઓ વીડિયો
#WATCH | Devotees hurled fire at each other as part of a fire ritual ‘Thoothedhara’ or ‘Agni Kheli’ to pay reverence to goddess Durga at Sri Durgaparameshwari temple in Kateel, Karnataka (22.04) pic.twitter.com/q4SHMFAGak
— ANI (@ANI) April 23, 2022
અહીં આ તહેવાર વિષે જાણો…
કર્ણાટકના મેંગલુરુમાં આવેલ કાટીલ નગરના મંદીરમાં “થૂથેધારા” અથવા “અગ્નિ ખેલી” ની ધાર્મિક વિધિ દર વર્ષે એપ્રિલ મહિનામાં મંદિરમાં ભવ્ય ઉત્સવના ભાગ રૂપે થાય છે. જે સતત આઠ દિવસ સુધી ચાલુ રહે છે. આઠ દિવસીય ધાર્મિક વિધિ જે મેષા સંક્રમણ દિવસની આગલી રાત્રે શરૂ થાય છે. તેમાં થીમ આધારિત પ્રદર્શનની શ્રેણી છે. અગ્નિ ખેલી તહેવારની બીજી રાત્રે થાય છે.
તમને જણાવી દઇએ કે ધાર્મિક વિધિ મુજબ, પુરુષો 2 જૂથોમાં વિભાજિત થાય છે. એકબીજાની સામે અને તેઓ દૂરથી એકબીજા પર સળગતા લાકડા ફેંકે છે. દરેક માણસને જૂથમાં જેટલા લોકોને ફટકારવા માટે 5 સળગતા ફ્રૉન્ડ્સ ફેંકવાની પરવાનગી છે. નંદિની નદીની મધ્યમાં એક ટાપુ પર આવેલું દુર્ગાપરમેશ્વરી મંદિર કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં કટેલમાં સૌથી જૂના મંદિરોમાંનું એક છે.