તબલીગી જમાત કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી, જાણો કેટલાં લોકો સામે દાખલ કરી ચાર્જશીટ?
તબલીગી જમાતના મરકજ કેસમાં દિલ્હી પોલીસે 20 ચાર્જશીટ દાખલ કરી છે. 20 દેશના 83 વિદેશીઓની સામે 14 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં તબલીગી જમાતના મેનેજમેન્ટ અને મૌલાના સાદનું પણ નામ છે. દિલ્હી પોલીસે અલગ અલગ કલમ ચાર્જશીટમાં ઉમેરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]
તબલીગી જમાતના મરકજ કેસમાં દિલ્હી પોલીસે 20 ચાર્જશીટ દાખલ કરી છે. 20 દેશના 83 વિદેશીઓની સામે 14 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં તબલીગી જમાતના મેનેજમેન્ટ અને મૌલાના સાદનું પણ નામ છે. દિલ્હી પોલીસે અલગ અલગ કલમ ચાર્જશીટમાં ઉમેરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં 70 ટકાનો નોંધાયો ઘટાડો, જુઓ VIDEO
મરકઝ કેસમાં દિલ્હી પોલીસે 20 દેશના 83 વિદેશી જમાતીઓની સામે અલગ અલગ 3 કલમ અનુસાર ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ફોરેનર્સ એક્ટ, એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમ ઉમેરવામાં આવી છે. વધુ સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં 12 જૂનના રોજ થશે. 20 દેશથી આવેલાં તબલીગી જમાતના લોકો સાથે મૌલાના સાદ પર કાર્યવાહી થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ક્યાં ક્યાં દેશના જમાતીઓના નામનો ઉલ્લેખ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ચીન, અમેરિકા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, મિશ્ર, રુશિયા, અલ્ગેરિયા, બેલ્જિયમ, સઉદી અરબ, જોર્ડન, ફ્રાંસ, કઝાકિસ્તાન, મોરક્કો, ટ્યુનેશિયા, યુનાઈટેડ કિંગ્ડમ, ફિજી, સૂડાન અને ફિલિપીન્સ જેવા દેશના નાગરિકોનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે અલગ અલગ દેશના લોકો માટે અલગ અલગ ચાર્જશીટ દાખલ કરી છે. મૌલાના સાદની પણ મુશ્કેલી વધી શકે છે કારણ કે જે લોકો પણ મરકઝ દિલ્હી ખાતે આવ્યા હતા તે તમામ લોકોએ વિઝામાં પણ નિઝામુદ્દીન દિલ્હીનં સરનામું આપ્યું હતું. 943 વિદેશીઓ જમાતીઓની પણ પૂછપરછ આ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]