દિલ્હી હાઈકોર્ટનો અનોખો આદેશ, એક વ્યક્તિને ફોજદારી કેસ સામે 50 વૃક્ષો વાવવા આપ્યો નિર્દેશ
દિલ્હી હાઈકોર્ટે વીજ ચોરીના કેસમાં એક વ્યક્તિ સામે ફોજદારી કેસ બંધ કરવા સંમતિ આપી હતી અને તે વ્યક્તિને 50 વૃક્ષો વાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એક મહિનાની અંદર વૃક્ષો વાવવા પડશે અને વન્ય સબ-કન્ઝર્વેટર (પશ્ચિમ)ને રિપોર્ટ કરશે. તેમને સેન્ટ્રલ રિજ રિઝર્વ વન, બુદ્ધ જયંતિ પાર્ક, વંદેમાતરમ માર્ગ પર 50 વૃક્ષો વાવવાનું કામ […]
દિલ્હી હાઈકોર્ટે વીજ ચોરીના કેસમાં એક વ્યક્તિ સામે ફોજદારી કેસ બંધ કરવા સંમતિ આપી હતી અને તે વ્યક્તિને 50 વૃક્ષો વાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એક મહિનાની અંદર વૃક્ષો વાવવા પડશે અને વન્ય સબ-કન્ઝર્વેટર (પશ્ચિમ)ને રિપોર્ટ કરશે. તેમને સેન્ટ્રલ રિજ રિઝર્વ વન, બુદ્ધ જયંતિ પાર્ક, વંદેમાતરમ માર્ગ પર 50 વૃક્ષો વાવવાનું કામ સોંપશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ખેડૂતોને મળશે મોટો લાભ, ખેડૂતો માટે શરૂ થઈ પેન્શન યોજના
ન્યાયાધીશ સંજીવ સચદેવાએ કહ્યું કે ઝાડ/છોડ સાડા ત્રણ વર્ષની પાનખર પ્રકારની રહેશે અને તેમની લંબાઈ ઓછામાં ઓછી 6 ફૂટ હોવી જોઈએ. જમીનના પ્રકાર અને ભૌગોલિક સ્થાનના આધારે વાવેતર માટેના વૃક્ષોના પ્રકારો અંગે વિચાર કરવાનો રહેશે. કોર્ટે વ્યક્તિ અને ડીસીએફને તેના આદેશનું પાલન કરવા માટે એક એફિડેવિટ ફાઇલ કરવા પણ જણાવ્યું છે.
વીજળી વિભાગે ફરિયાદ નોંધાવી હતી કે તે વ્યક્તિ વીજ ચોરી કરતી હોવાનું માલુમ પડ્યું છે. ઈલેક્ટ્રિક વાયર તેની દુકાનની બહાર સરકારી થાંભલા સાથે સીધો જોડાયેલ હોવાનું જણાયું હતું. હાઈકોર્ટે આ વ્યક્તિ સામેના નિચલી અદાલતના આરોપોને રદ કર્યો હતો અને તેને વીજળી અધિનિયમ હેઠળ ગુનાથી મુક્ત કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]