ખુશખબર, દિલ્હીમાં ટ્રેનો હવે હાઈડ્રોજન ઈંધણ પર ચાલશે, ભારત આ ઈંધણનો ઉપયોગ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બનશે
આ પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલીકરણ બાદ ડીઝલ પર ચાલતા તમામ રોલિંગ સ્ટોકને વીજળીકરણ દ્વારા હાઇડ્રોજન ઇંધણ પર ચલાવવાની યોજના બનાવી શકાય છે.
ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણને (Environment Safety) ધ્યાનમાં રાખીને એક પહેલ કરી છે. જેમાં રેલ મંત્રાલય હાઇડ્રોજન ઇંધણ પર ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. રેલવે મંત્રાલયનું આ પગલું પર્યાવરણ સંરક્ષણના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વનું અને ઐતિહાસિક માનવામાં આવે છે. જો બધું યોજના પ્રમાણે ચાલશે તો તે નવા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની (Ashwini Vaishnav) મોટી સિદ્ધિ સાબિત થશે.
રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના (Railway Officer) જણાવ્યા અનુસાર, જર્મની અને પોલેન્ડ પછી ભારત વિશ્વનો ત્રીજો દેશ હશે જ્યાં ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, બે લોકલ ટ્રેનોમાં ફેરફાર કરીને હાઇડ્રોજન ઈંધણનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત નવ-ગેજ એન્જિનને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ (Hydrogen Fuel) સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ભારતીય રેલવેએ હાઇડ્રોજન ઇંધણ આધારિત ટેકનોલોજી પર ટેન્ડર મંગાવવામાં આવ્યા
રેલવે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન હેઠળ ઉત્તર રેલવેના 89 કિલોમીટર લાંબા સોનીપત-જીંદ રૂટ પર ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (DEMU) પર રીટ્રોફિટિંગ કરીને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટેકનોલોજીના ઉપયોગ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.
Delhi: Indian Railways to run trains on hydrogen fuel-based technology
We’ll do retrofitting on DEMU trains which run on 89 km track b/w Jind & Sonipat. A pre-bid conference for this will be held on Aug 17& we hope that process will finish by October 5: ADG PRO Rajiv Jain(07.08) pic.twitter.com/GfdyVVyTRd
— ANI (@ANI) August 7, 2021
રેલવે મંત્રાલયના એડીજી PRO રાજીવ જૈને જણાવ્યું હતુ કે, “ભારતીય રેલવે હાઇડ્રોજન વાપરવા માટે હાલની ડીઝલથી ચાલતી ટ્રેનોને રીટ્રોફિટ (Retrofit) કરી શકાય છે કે નહીં તે શોધવાનો પ્રયાસ કરશે.”
2.3 કરોડની વાર્ષિક બચત થશે
રાજીવ જૈને જણાવ્યું હતું કે, “ડીઝલથી ચાલતા DEMU ને રીટ્રોફિટિંગ અને તેને હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેન સેટમાં રૂપાંતરિત કરવાથી વાર્ષિક 2.3 કરોડ રૂપિયાની બચત થશે. ઉપરાંત કાર્બન ઉત્સર્જન વાર્ષિક 11.12 કિલો ટન ઘટાડી શકાશે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, આ પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલીકરણ બાદ ડીઝલ ઇંધણ પર ચાલતા તમામ રોલિંગ સ્ટોકને (Rolling Stock) હાઇડ્રોજન ઇંધણ પર ચલાવવાનું આયોજન કરી શકાય છે.
આ પણ વાંચો: જમ્મુ -કાશ્મીરમાં સરકારી શાળાઓના નામ શહીદોના નામ પર રાખવામાં આવશે, સરકારે લીધો નિર્ણય
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’