DELHI IED Blast: ભારતીય રાજદૂતે કહ્યું, ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં નહીં આવે
દિલ્હી (DELHI)માં એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ અંગે ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે ઈઝરાયેલ સરકારને આશ્વાસન આપ્યું છે કે ભારત સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે.
દિલ્હી (DELHI)માં એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ અંગે ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે ઈઝરાયેલ સરકારને આશ્વાસન આપ્યું છે કે ભારત સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. ઈઝરાયેલમાં ભારતના રાજદૂતસંજીવ સિંગલાએ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ એલન ઉશ્જીપ સાથે ફોનમાં વાત કરીને કહ્યું, “ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં ભારત સરકાર દ્વારા કોઈ કસર છોડવામાં નહીં આવે.”
I spoke a few minutes ago with my counterpart, Indian Foreign Minister @DrSJaishankar, following the explosion that took place a few hours ago near the Israeli embassy in Delhi.
— גבי אשכנזי – Gabi Ashkenazi (@Gabi_Ashkenazi) January 29, 2021
આ ઘટના અંગે ભારતના વિદેશપ્રધાન એસ.જય શંકરે કહ્યું, “ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ અંગે ઈઝરાયેલના વિદેશપ્રધાન ગાબી અશ્કેનાજી સાથે તરત જ વાત કરી. અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ઈઝરાયેલના રાજનાયીકો અને દુતાવાસની સુરક્ષા માટે એમને આશ્વાસન આપ્યું છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને ઘટનાના દોષીઓને પકડવામાં કોઈ કસર છોડવામાં નહીં આવે.”
બીજી બાજુ ઈઝરાયેલના વિદેશપ્રધાન ગાબી અશ્કેનાજીએ ટ્વીટ કરીને લખ્યું, “દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ અંગે થોડા સમય પહેલા જ ભારતના વિદેશપ્રધાન એસ.જય શંકર સાથે વાત કરી. ભારતના વિદેશપ્રધાને મને આશ્વાસન આપ્યું છે કે ભારતીય અધિકારીઓ તમામ ઈઝરાયેલ રાજનાયીકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેઓ આ બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. મેં એમનો આભાર વ્યકત કર્યો અને ઈઝરાયેલ તરફથી તમામ પ્રકારની મદદ અને સહયોગનો ભારોસો આપ્યો છે.
આ પણ વાંચો: DELHI: ઈઝરાયેલ દુતાવાસ પાસે ધડાકા બાદ ઝાડીઓમાંથી મળ્યો IED, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી