દિલ્હી હાઇકોર્ટે Twitterને લગાવી ફટકાર, હિંદુ દેવી-દેવતા સંબંધી વાંધાજનક કન્ટેન્ટ હટાવવા આદેશ કર્યો
પિટિશનમાં ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી આ વાંધાજનક સામગ્રી હટાવવા અને સંબંધિત એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટ (delhi high court)એ આજે ટ્વિટર (twitter)ને તેના પ્લેટફોર્મ પરથી હિંદુ દેવી-દેવતાઓ સંબંધિત કેટલીક વાંધાજનક સામગ્રી દૂર કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની સામાન્ય લોકોની ભાવનાઓનું સન્માન કરે કારણ કે તે સામાન્ય લોકોની સાથે વ્યવસાય કરે છે. કોર્ટે કહ્યું કે ટ્વિટર સારું કામ કરી રહ્યું છે અને લોકો તેનાથી ખુશ છે.
દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે ટ્વિટરના વકીલને પૂછ્યું કે, ‘કન્ટેન્ટ હટાવવામાં આવી રહ્યું છે કે નહીં? તમારે સામાન્ય લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ કારણ કે તમે સામાન્ય જનતા સાથે સંબંધિત વ્યવસાય કરી રહ્યા છો. તેમની લાગણીઓને યોગ્ય મહત્વ આપવું જોઈએ…. તમારે વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવું જોઈએ.” બેન્ચે કહ્યું, “તમે વાંધાજનક હટાવો. રાહુલ ગાંધીના કિસ્સામાં પણ તમે આવું જ કર્યું છે.”
ટ્વિટર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે કોર્ટ આદેશમાં ઉલ્લેખ કરી શકે છે અને તેઓ નિર્દેશનું પાલન કરશે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 30મી નવેમ્બરે કરવાની જાહેરાત કરી છે.
આ અંગે ટ્વીટર સામે અરજી કરનાર આદિત્ય સિંહ દેશવાલે કહ્યું કે તેમને મા કાલી વિશે એક યુઝર દ્વારા શેર કરવામાં આવી રહેલી કેટલીક અત્યંત વાંધાજનક સામગ્રી વિશે જાણ થઈ, જેમાં દેવીને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા છે. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય પોદ્દારે કહ્યું કે તેમણે ટ્વિટરના ફરિયાદ અધિકારીને જાણ કરી અને સંબંધિત નિયમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે દાવો કર્યો હતો કે ટ્વિટર આ વાતને નકારી કાઢે છે અને કહે છે કે પ્રશ્નમાં રહેલા એકાઉન્ટની સામગ્રી એ કેટેગરીની નથી જેના પર કાર્યવાહી કરવામાં આવે અને તેથી તેને દૂર કરી શકાય નહીં.
પિટિશનમાં ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી આ વાંધાજનક સામગ્રી હટાવવા અને સંબંધિત એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Puneeth Rajkumarના અંતિમ દર્શન કરવા પહોંચ્યા સેલેબ્સ, અભિનેતાના પર્થિવ શરીરને જોઈને રોકી ન શક્યા પોતાના આંસુ
આ પણ વાંચો : સ્વજનના મૃત્યુ બાદ તેમના PAN અને Aadhaar કાર્ડનું શું કરવું? જાણો આ બાબત નહિતર ઉભી થશે મુશ્કેલી