Delhi: LG વીકે સક્સેના અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનો વિવાદ વકર્યો, કેજરીવાલે કહ્યું- સર, અમને અમારું કામ કરવા દો

લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો. તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં એલજી કોણ છે? ની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવા નિવેદનો યોગ્ય નથી.

Delhi: LG વીકે સક્સેના અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનો વિવાદ વકર્યો, કેજરીવાલે કહ્યું- સર, અમને અમારું કામ કરવા દો
Arvind Kejriwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 3:10 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના વચ્ચે પત્ર યુદ્ધ ચાલુ છે. આજે ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો, જેના જવાબમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, આજે સવારે એલજી સાહેબનો પત્ર મળ્યો. તેમને મારો જવાબ. સાહેબ, અમને અમારું કામ કરવા દો, તમે દિલ્હીની કાયદો અને વ્યવસ્થા ઠીક કરો, જેથી કંઝાવલા જેવો બીજો કિસ્સો ફરી ન બને.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેબિનેટ અને ધારાસભ્યો સાથે 21 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે તમારા ઘરે આવીશું અથવા તમારી અનુકૂળતા મુજબ સમય જણાવો. કેજરીવાલે કહ્યું કે એક તરફ LG સાહેબ મોહલ્લા ક્લિનિક્સનું ભાડું, ડોક્ટરોના પગાર અને ટેસ્ટ રોકે છે અને પછી કહે છે કે મોહલ્લા ક્લિનિક્સ સારું કામ નથી કરી રહ્યા. દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલ પર હુમલો થયો, જો તેઓ સુરક્ષિત નથી તો સામાન્ય મહિલા કેવી રીતે રહેશે. દિલ્હીના લોકો તેમના શિક્ષકોને ફિનલેન્ડ મોકલવા માંગે છે. તમે ત્યાં જવા માટે કેમ રોકો છો?

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ પણ વાંચો : Delhi: કંઝાવલા કાંડ મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ

LGએ કેજરીવાલને લખ્યો હતો પત્ર

તમને જણાવી દઈએ કે, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો. તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં એલજી કોણ છે? ની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવા નિવેદનો યોગ્ય નથી. આ સિવાય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી વિધાનસભાથી એલજીની ઓફિસ સુધી ધારાસભ્યો અને મંત્રીઓની કૂચને લઈને કહેવામાં આવ્યું છે કે તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળવાનો સમય આપ્યો હતો.

અમે તમારા હેડમાસ્તર નથી: લેફ્ટનન્ટ ગવર્નર

LG વિનય કુમાર સક્સેનાએ કહ્યું કે, મુખ્યમંત્રી દ્વારા મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર મળવા માંગતા નથી. આ વાત ખોટી છે, જ્યારે આટલા ઓછા સમયમાં 70-80 લોકો માટે વ્યવસ્થા કરવી શક્ય ન હતી. લેફ્ટનન્ટ ગવર્નરે પત્રમાં લખ્યું છે કે તેઓ તેમના હેડમાસ્ટર નથી. છેલ્લા 7-8 વર્ષથી દિલ્હીમાં રહે છે. તેમને દિલ્હીની પણ ચિંતા છે. આ સિવાય લેફ્ટનન્ટ ગવર્નરે શિક્ષણના મુદ્દાને પણ ઘેર્યો છે અને દિલ્હીની સરકારી શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓની ઘટતી ટકાવારીની વાત પણ કરવામાં આવી છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">