થઈ શકે છે પાણીની તંગી.. દેશના 91 જળાશયોમાં બચ્યું માત્ર 20% પાણી, જાણો ગુજરાતની શું છે પરિસ્થિતિ
વર્તમાન પરિસ્થિતી પ્રમાણે પાણીની અછતથી બચવાનો એકમાત્ર ઉપાય છે વરસાદ. જો દેશમાં સારો વરસાદ ન થાય તો પાણીની વિશાળ તંગી માટે તૈયાર રહેવુ પડશે. સેન્ટ્રલ વૉટર કમિશન (CWC) ના અહેવાલ અનુસાર 30 મે 2019 ના રોજ દેશના 91 જળાશયોમાં ફક્ત 20% જ પાણી બાકી બચ્યું છે.23મેના રોજ તે 21% હતો. પશ્ચિમ અને દક્ષિણ ભારતના જળાશયોમાં […]
વર્તમાન પરિસ્થિતી પ્રમાણે પાણીની અછતથી બચવાનો એકમાત્ર ઉપાય છે વરસાદ. જો દેશમાં સારો વરસાદ ન થાય તો પાણીની વિશાળ તંગી માટે તૈયાર રહેવુ પડશે. સેન્ટ્રલ વૉટર કમિશન (CWC) ના અહેવાલ અનુસાર 30 મે 2019 ના રોજ દેશના 91 જળાશયોમાં ફક્ત 20% જ પાણી બાકી બચ્યું છે.23મેના રોજ તે 21% હતો. પશ્ચિમ અને દક્ષિણ ભારતના જળાશયોમાં પાણી છેલ્લા 10 વર્ષમાં સરેરાશથી પણ નીચું ગયું છે.
જળાશયમાં પાણીના અભાવને કારણે દેશનો લગભગ 42% ભાગ દુષ્કાળગ્રસ્ત છે. જે ગત વર્ષ કરતાં 6% વધારે છે. દુષ્કાળ પર દેખરેખ રાખતા ડ્રોટ અર્લી વોર્નિંગ સિસ્ટમે 28મી મેના રોજ જણાવ્યું હતું કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારનો હિસ્સો વધીને 42.61% થઈ ગયો છે, જે 21 મેના રોજ 42.18% હતો.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મમતાએ BJP ઓફિસ પર કર્યો કબ્જો, હવે શું કરશે ભાજપ?
91 જળાશયોમાં હવે 31.65 બીલીયન ઘન મીટર (BCM) પાણી છે. આ જળાશયોની કુલ ક્ષમતા ફક્ત 20 ટકા છે.આ 91 જળાશયોની કુલ ક્ષમતા 161.993 BCM છે. આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળથી અસરગ્રસ્ત છે.
પશ્ચિમી પ્રદેશમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આવે છે. આ વિસ્તારમાં 31.26 BCMના સંગ્રહણવાળા કુલ 27 જળાશયો છે. આ જળાશયોમાં કુલ સંગ્રહ 3.53 બીસીએમ છે જે જળાશયોની કુલ ક્ષમતાના 11% છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]