Cyclone Tauktae Update : અમદાવાદ પરથી બપોર બાદ પસાર થશે વાવાઝોડુ , તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડશે

ગુજરાતમાં  Cyclone Tauktae ગત રાત્રે લેન્ડ ફોલ થયા બાદ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા કલેકટરે લોકોને બપોર બાદ બહાર ના નીકળવા અપીલ કરી છે.

Cyclone Tauktae Update : અમદાવાદ પરથી બપોર બાદ પસાર થશે વાવાઝોડુ , તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડશે
અમદાવાદ પરથી બપોર બાદ પસાર થશે વાવાઝોડુ
Follow Us:
| Updated on: May 18, 2021 | 1:37 PM

Cyclone Tauktae Update :  ગુજરાતમાં  Cyclone Tauktae ગત રાત્રે લેન્ડ ફોલ થયા બાદ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે Ahmedabad જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા કલેકટરે લોકોને બપોર બાદ બહાર ના નીકળવા અપીલ કરી છે. તેમજ વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખ્યું છે. આ ઉપરાંત સાબરમતી નદીના વાસણા બેરેજના બે દરવાજા પણ ખોલી નાંખવામાં આવ્યા છે.

જેમાં Ahmedabad શહેરમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ શરૂ થયો છે. જો કે અમદાવાદમાં બપોર બાદ વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે. તેમજ શહેરમાં 20 થી 70 કિલોમીટરના પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસર વર્તાશે.જેમાં અમદાવાદ શહેરમાં પણ 20 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બે ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ગરમીના પારામાં 4 થી 10 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. 

ગુજરાતમાં આવી રહેલા Cyclone Tauktae ના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધોલેરાના ગામના 962 લોકોને જિલ્લા વહીવટીતંત્રએ અલગ અલગ આશ્રય સ્થાનોમાં સલામત રીતે ખસેડયા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Ahmedabad જિલ્લા કલેકટરે આ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કોરોનાના ચેપના કેસ વધી રહ્યા હોવાના પગલે આ તમામ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડતા પૂર્વે તેમનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં કુલ 38 આશ્રય સ્થાનો કાર્યરત છે. જેમાં તમામ કોવિડ ગાઇડલાઈન સાથે તેમને ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત છ ગામોમાં છ આશ્રય સ્થાનો કાર્યરત છે જેની ક્ષમતા 2400 લોકોને સમાવવાની છે. આ ઉપરાંત 5000 જેટલા ફૂડ પેકેટ એનજીઓની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">