Cyclone Tauktae: વાયુસેનાના 16 કાર્ગો અને 18 હેલિકોપ્ટર તૈનાત, આઇએલ-17 127 જવાનો સાથે જામનગર પહોંચ્યું
Cyclone Tauktae : વાવાઝોડાને પગલે વાયુસેનાએ તાત્કાલિક કામગીરી માટે 16 કાર્ગો વિમાનો અને 18 હેલિકોપ્ટર તત્કાળ ઉપયોગમા મૂક્યા છે. આઈ.એલ.-76 વિમાન ભટીંડાથી 127 જવાનો અને 11 ટન સામાન સાથે જામનગર પહોંચ્યું છે.સી -130 વિમાન 25 જવાન, 12.3 ટન સામાન સાથે રાજકોટ પહોંચ્યું છે.
ઇન્ડિયન Air Force એ જણાવ્યું હતું કે તે Cyclone Tauktae થી સર્જાયેલી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તેના 16 કાર્ગો વિમાન અને 18 હેલિકોપ્ટર તૈયાર કર્યા છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે વાયુસેના આગામી કેટલાક દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કોવિડ -19 રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે ખરાબ હવામાનને કારણે આ વિસ્તારોમાં કામગીરી પછીથી પ્રભાવિત થઈ શકે છે.
Air Force એ એક નિવેદનમાં જણાવ્યું છે કે વાવાઝોડાને પગલે વાયુસેનાએ તાત્કાલિક કામગીરી માટે 16 કાર્ગો વિમાનો અને 18 હેલિકોપ્ટર તત્કાળ ઉપયોગમા મૂક્યા છે. આઈ.એલ.-76 વિમાન ભટીંડાથી 127 જવાનો અને 11 ટન સામાન સાથે જામનગર પહોંચ્યું છે.સી -130 વિમાન 25 જવાન, 12.3 ટન સામાન સાથે રાજકોટ પહોંચ્યું છે.
Air Force એ જણાવ્યું કે સી -130 વિમાન 25 કર્મચારી અને 12.3 ટન સામાન સાથે ભટીંડાથી રાજકોટ પહોંચ્યું છે, જ્યારે બે સી -130 વિમાન 126 સૈનિકો અને 14 ટન સાથે ભુવનેશ્વરથી જામનગર પહોંચ્યુ છે. દરમ્યાન Cyclone Tauktae વધુ મજબૂત બન્યું છે અને તે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ-દીવ અને દાદરા-નગર હવેલી તરફ આગળ વધી રહ્યું છે. તેના કારણે મુંબઇમાં જોરદાર પવન અને વરસાદ પડી શકે છે.
Cyclone Tauktae ખૂબ જ તીવ્ર તોફાન માં ફેરવાઈ ગયું છે અને ગુજરાત કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા (આઈએમડી) એ રવિવારે કહ્યું, આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને 17 મે ની સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે અને તે 18 મેથી પોરબંદર અને મહુવાના (ભાવનગર જિલ્લામાં) વચ્ચેથી પસાર થશે.
આઇએમડીએ કહ્યું કે તેણે ગુજરાત અને દમણ અને દીવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર 18 મે સુધીમાં પવનની ગતિ વધીને 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે થવાની સંભાવના છે. જ્યારે પવનની ગતિ કેટલાક સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
આઇએમડીએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ મહારાષ્ટ્ર-ગોવા અને આજુબાજુના કર્ણાટકના દરિયાકાંઠે પવનની ગતિ 70-80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે અને 16 મેના રોજ ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે પવનની ગતિ 40-50 થી 60 કિ.મી. કલાક દીઠ હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે પવનની ગતિ મહારાષ્ટ્રના દરિયાકાંઠે 17 મેથી 18 મેની સવારથી 65-75 કિમીથી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે.