Cyclone Sitrang: બાંગ્લાદેશમાં 7ના મોત, ‘ચક્રવાત’ ભારતના આ રાજ્યોમાં પણ તબાહી મચાવી શકે છે
બાંગ્લાદેશ(Bangladesh)ની સરહદે આવેલા મેઘાલયના 4 જિલ્લામાં ચક્રવાત(Cyclone)ને જોતા મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ 4 જિલ્લાઓમાં પૂર્વ અને પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સનો સમાવેશ થાય છે.
ચક્રવાતી તોફાન સિતરંગ(Cyclone Sitrang)ના પ્રકોપને કારણે બાંગ્લાદેશ(Bangladesh)માં ઘણા લોકોના મોત થયા છે. સોમવારે મધ્યરાત્રિએ ચક્રવાતે તબાહી મચાવી હતી, જેના કારણે 7 લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર મિનિસ્ટ્રી(Disaster Minsitry)ના કન્ટ્રોલ રૂમના પ્રવક્તા નિખિલ સરકારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલા ટાપુ જિલ્લામાંથી અનેક લોકોના મોત થયા છે. ‘સિતરંગ’ના પ્રભાવને કારણે પશ્ચિમ બંગાળમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પણ બંગાળમાં સર્જાઈ રહેલા ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એલર્ટ પર છે.
બંગાળ સરકારે ‘સિત્રાંગ’ ચક્રવાતની અસરથી થતા સંભવિત નુકસાનને ટાળવા માટે તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે, જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને આશ્રય શિબિરોમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયનો સમાવેશ થાય છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ઘણી ટીમો સાથે SDRF અને NDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા અને પુરબ મેદિનીપુરના વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યા છે કારણ કે ‘સિત્રાંગ’ના કારણે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝાપટા પડવાની સંભાવના છે.
ચક્રવાત સિતરંગના ખતરાને જોતા સોમવારે બાંગ્લાદેશમાં 2.19 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ લોકોને રહેવા માટે 6925 આશ્રય કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે સોમવારે સાંજે પાયરા, મોંગલા અને ચિત્તાગોંગના બંદરોને ખતરાના સંકેતો જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોક્સબજાર પોર્ટ પર પણ ખતરાના સંકેત જારી કરવામાં આવ્યા હતા. આ ચક્રવાતી તોફાન ભારતના ઘણા રાજ્યોમાં તબાહી મચાવે તેવી પણ શક્યતા છે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
મેઘાલયમાં, આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે કારણ કે ચક્રવાત સિતરંગને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાંગ્લાદેશની સરહદે આવેલા 4 જિલ્લામાં ચક્રવાતને જોતા મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ 4 જિલ્લાઓમાં પૂર્વ અને પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની અસરને કારણે મેઘાલયના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે.