Cyclone Jawad: ઓડિશા: ચક્રવાત ‘જવાદ’ 5 ડિસેમ્બરે બપોર સુધીમાં પુરીના કિનારે ત્રાટશે, હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્યને અડીને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ ડિપ્રેશન આગામી 12 કલાક દરમિયાન ચક્રવાતી તોફાન જવાદમાં ફેરવાઈ જશે.
Cyclone Jawad: આંધ્રપ્રદેશ(Andhra Pradesh)માં ચક્રવાત જવાદ(Cyclone Jawad)ને કારણે સર્જાયેલી તબાહીને જોતા વિશાખાપટ્ટનમ અને શ્રીકાકુલમ જિલ્લામાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમ જિલ્લા કલેકટરે આ માહિતી આપી. અહેવાલો અનુસાર, આ જિલ્લાઓમાં શાળાઓ 3 ડિસેમ્બરે અને શનિવારે એટલે કે 4 ડિસેમ્બરે બંધ રહેશે. મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy)એ ગુરુવારે શ્રીકાકુલમ, વિઝિયાનગરમ અને વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને તેમને તમામ સાવચેતીનાં પગલાં લેવા નિર્દેશ આપ્યો.
મુખ્ય પ્રધાન રેડ્ડીએ કલેક્ટરને કહ્યું, ‘ચક્રવાત વાવાઝોડાને કારણે કોઈને કોઈ સમસ્યા ન થાય તેની ખાતરી કરો. સાવચેત રહો, ખાસ કરીને નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોના કિસ્સામાં.” સીએમઓ દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, “મુખ્યમંત્રીએ કલેક્ટરને જ્યાં જરૂર હોય ત્યાં રાહત શિબિરો ગોઠવવા માટે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તે જ સમયે, ઇસ્ટ કોસ્ટ રેલવેના વોલ્ટેરના વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર એકે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “ચક્રવાતને ધ્યાનમાં રાખીને, આંધ્ર પ્રદેશ સરકારે 3 અને 4 ડિસેમ્બર માટે વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી લગભગ 65 ટ્રેનો રદ કરી છે.”
Around 65 ongoing trains were cancelled from the Visakhapatnam district of Andhra Pradesh for Dec 3 & 4, in the wake of #CycloneJawad: Senior Divisional Commercial Manager of Waltair Division of East Coast Railway, A K Tripathi
— ANI (@ANI) December 3, 2021
ચક્રવાત જવાદની અસર ઘણા રાજ્યોમાં જોવા મળશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્યને અડીને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ ડિપ્રેશન આગામી 12 કલાક દરમિયાન ચક્રવાતી તોફાન જવાદમાં ફેરવાઈ જશે. IMDએ જણાવ્યું કે ચક્રવાતી તોફાન શનિવારે સવારે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. વિભાગે કહ્યું કે, વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પરનું દબાણ ગુરુવારે મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે પશ્ચિમ-મધ્યને અડીને આવેલા દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.
NDRF સહિત 266 ટીમો તૈનાત કરવાનું આયોજન
ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની અને ઉભા પાકને, ખાસ કરીને ડાંગરને સંભવિત નુકસાન થવાની સંભાવના છે. ઓડિશા સરકારે ચક્રવાત જવાદથી થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ જણાવ્યું હતું કે સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ફાયર સર્વિસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) સહિત 266 ટીમો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે.