વધુ એક વાવાઝોડું : બંગાળનાં અખાતમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે વાવાઝોડું ગુલાબ સક્રિય બન્યું, જાણો ક્યાં ત્રાટકશે

Cyclone Gulab : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત સહીત દક્ષિણી છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવા સુધી આ વાવઝોડાની અસર જોવા મળશે.આ રાજ્યોમાં મંગળવાર સુધી ભારે વરસાદ પડી શકે છે.

વધુ એક વાવાઝોડું :  બંગાળનાં અખાતમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે વાવાઝોડું ગુલાબ સક્રિય બન્યું, જાણો ક્યાં ત્રાટકશે
Cyclone Gulab is moving towards Andhra Pradesh, Odisha as well as West Bengal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:15 PM

બંગાળનાં અખાતમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે ચક્રવાત ગુલાબ (Cyclone Gulab)સક્રિય બનીને આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે જે આગામી કલાકોમાં વધુ તોફાની બનીને ઓડિશાના દરિયા કિનારે ટકારશે. વાવાઝોડાની અસર પણ ઓડિશા અને આસપાસના વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે.વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. વાવાઝોડાને કારણે ઓડિશા અને આંધ્રમાં યલો એલર્ટ આપી દેવાયું છે.

ઓડિશાનાં 7 જિલ્લાને હાઇએલર્ટ કરાયા છે. વાવાઝોડું ગુલાબને પગલે બંગાળ, ઓડિશા તેમજ આંધ્રમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આંધ્રમાં NDRFની 5 અને ઓડિશામાં NDRFની 24 ટીમ અને ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 42 ટૂકડી તૈનાત કરી દેવાઈ છે.વાવાઝોડાના ખતરાને જોતા ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 3 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.204 લોકોને શેલ્ટર હોમમાં મોકલી દેવાયા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાલ ગુલાબ નામનું વાવાઝોડું ગોપાલપુરથી 180 કિલોમીટર દક્ષિણ પૂર્ણમાં સ્થિતિ છે.આજે મોડી રાત્રે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચે ટકારશે…હાલ વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે.આગામી કલાકોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઇ જશે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચે અડધીરાતે ટકારશે. જેની અસર ઓડિશાના 11 જિલ્લામાં થશે. 75-85 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે વાવાઝોડું ટકરાશે.આ તોફાનની અસર દક્ષિણી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત સુધી જોવા મળશે.આ રાજ્યોમાં મંગળવાર સુધી ભારે વરસાદ પડી શકે છે.

બીજી તરફ વાવાઝોડાના ખતરાને જોતા સરકાર પણ સક્રિય થઈ ગઈ છે.તંત્ર કામગીરી પર લાગી ગયું છે ત્યારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે પણ અધિકારીઓ સાથે બેઠક કરી.આવશ્યક સાવધાનીઓને લઈને ચર્ચા કરી.બીજી તરફ વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે વાત કરી અને ટ્વીટ કરીને દરેક પ્રકારની મદદની ખાતરી આપી છે અને તમામની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.

ગુલાબ વાવાઝોડાનું નામ પાકિસ્તાને આપ્યું છે, જેને ગુલ-આબ તરીકે બોલાય છે.વિશ્વ હવામાન સંસ્થાની આર્થિક અને સામાજિક કમિશન અને ચક્રવાતી તોફાનો પર બનાવેલી પેનલની યાદીમાંથી નામ રખાયું છે.આ પેનલમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાંમાર, પાકિસ્તાન, શ્રીલંકા સહિત 13 દેશ છે…જે આ ક્ષેત્રમાં આવતા વાવાઝોડાના નામ આપે છે.

આ વર્ષે જ યાસ વાવાઝોડું ઓડિશા પર ત્રાટક્યું હતું ત્યારે સરકારની તૈયારીએ મોટી તબાહીને ટાળી દીધી હતી.ત્યારે આ વખતે પણ વાવાઝોડાનો સામનો કરવા માટે તંત્ર એલર્ટ થયું છે…હવે નુકસાન ઓછામાં ઓછુ થાય તેવી જ આશા રાખવામાં આવી રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">