CRPF જવાને 7 વાર કર્યું હવામાં ફાયરિંગ, 8મી વખત પોતાની જાતને મારી ગોળી

7 વાર હવામાં ફાયરિંગ કર્યા બાદ પોતાની જાતની ગોળી મારનાર જવાનની ઓળખ અમિત કુમાર સિંહ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, હજુ સુધી આ ઘટના વિશે વધારે જાણકારી મળી નથી, પરંતુ એવી આશંકા છે કે પરિવારમાં વિવાદને કારણે જવાને આ પગલું ભર્યું હોઈ શકે છે.

CRPF જવાને 7 વાર કર્યું હવામાં ફાયરિંગ, 8મી વખત પોતાની જાતને મારી ગોળી
પ્રતીકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 9:06 AM

ઝારખંડના ચાઈબાસામાં એક CRPF જવાને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. જવાને પહેલા હવામાં 7 વાર ગોળીબાર કર્યા અને આઠમું ફાયરિંગ પોતાની જાત પર કર્યું હતું. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે જ જવાનનું મોત નીપજ્યું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, જવાનના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના ચાઈબાસાના ગોઈલકેરાના અરહસા ગામમાં આવેલા CRPFની 60મી બટાલિયનનો છે.

મૃતક જવાનની ઓળખ અમિત કુમાર સિંહ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે હજુ સુધી આ ઘટનાના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ એવી આશંકા છે કે પરિવારના વિવાદને કારણે જવાને આ પગલું ભર્યું હોઈ શકે છે. હાલ પોલીસે સંબંધીઓ અને અધિકારીઓના નિવેદનના આધારે ઘટનાની તપાસ શરૂ કરી છે. CRPFની 60મી બટાલિયનના કમાન્ડન્ટ આનંદ જેરાઈએ આ ઘટનાની પુષ્ટિ કરી જણાવ્યું કે આત્મહત્યાના કારણની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર, પારિવારિક વિવાદને કારણે જવાને મોતને વ્હાલુ કર્યું છે.

ઝારખંડમાં ફરજ બજાવતો હતો જવાન

ગુરુવારે રાત્રે જવાન અમિત કુમાર સિંહને ઝારખંડની સંત્રી ડ્યુટી પર ફરજમાં હતો. ચાર્જ સંભાળ્યાના થોડા સમય બાદ તેણે પહેલા હવામાં સાત ગોળી ચલાવી હતી, જ્યારે આઠમી ગોળી પોતાના પર ચલાવી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને અન્ય જવાનો બહાર આવ્યા અને જોયું કે જવાન અમિત લોહીથી લથપથ જમીન પર પડેલો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જવાન મુળ જમ્મુના ડોગરાનો રહેવાસી

કમાન્ડરના જણાવ્યા મુજબ, જવાન અમિતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ઘટનાની જાણકારી જવાનના પરિવારજનોને આપવામાં આવી છે. તે મૂળ જમ્મુના ડોગરાના લોસો પડવા ગામનો રહેવાસી હતો. કયા કારણે જવાને આત્મહત્યા કરી તે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">