તંત્રની શરમજનક કામગીરી: એક જ ચિતા પર આપી દીધો 8 મૃતદેહને અગ્નિદાહ, કોરોનાના કારણે થયું હતું મોત

કોરોનાના આ કાળમાં માનવત પણ મરી પરવારી હોય એવા ઉદાહરણ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના એક સ્થળે 8 લોકોનું કોરોનાથી મૃત્યુ બાદ એક સાથે સામુહિક અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો.

તંત્રની શરમજનક કામગીરી: એક જ ચિતા પર આપી દીધો 8 મૃતદેહને અગ્નિદાહ, કોરોનાના કારણે થયું હતું મોત
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 2:35 PM

ભારતભરમાં કોરોનાની બીજી લહેર આતંક ફેલાવી રહી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાનું વહીવટ તંત્ર હાલમાં કોરોનાની બીજી લહેર દ્વારા ખરાબ રીતે હેરાન પરેશાન છે. આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી એક શરમજનક હરકત સામે આવી છે. મંગળવારે તંત્રે આઠ લોકોના કોરોનાથી મૃત્યુ થયા બાદ, તેઓનું અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરી દીધું.

આ બનાવ બીડ જિલ્લાની અંબાજોગાઇમાં પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના બાદ વહીવટ તંત્ર પ્રત્યે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકના સગાઓને આ સમુહીક અંતિમ સંસ્કાર બાબતે વહીવટી તંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

બીડની અંબાજોગાઇમાં હાલમાં જિલ્લામાં કોરોના હોટસ્પોટ બની ગયો છે. મંગળવારે, શહેરના કેમ્પસમાં 161 નાગરિકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. મંગળવારે અહીંના સ્વામી રામાનંદ તીર્થ હોસ્પિટલમાં સાત અને લોખંડી કોવિડ કેર સેન્ટરમાં એક, એમ કુલ આઠ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મનપાએ જલ્દીથી જલ્દી અંતિમ સંસ્કાર પતાવી દેવા માટે માંડવા રોડ સ્મશાનગૃહમાં આઠ મૃતકોને એક સાથે અગ્નિદાહ આપી દીધો હતો. અને તે પણ સામુહિક રીતે એક જ ચિતા પર. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ મૃતકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

સ્મશાનનો અગ્નિ સંસ્કાર સમયનો ફોટો વાયરલ થતાની સાથે જ જિલ્લામાં વહીવટી તંત્ર સામે રોષની લહેર પ્રસરી ગઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે માર્ચ સુધી અંબાજોગાઇમાં માત્ર એક હજાર કોરોના ચેપહતા. પરંતુ છેલ્લા 4 દિવસમાં 304 થી વધુ કોરોનાના કેસ નોંધાયા. થોડા દિવસો પહેલા અંબાજોગાઇમાં કેટલાક કોરોના દર્દીઓ બજારમાં મુક્તપણે ફરતા પકડાયા હતા ત્યારથી તે આ સ્થાન સમાચારોમાં છે.

પંકજા મુંડેના બીડ જિલ્લામાં કોરોના કુલ 28,491 કેસ નોંધાયા છે અને 672 લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ 25,436 ચેપગ્રસ્ત લોકો અત્યાર સુધી સ્વસ્થ થયા છે અને ઘરે ગયા છે. જિલ્લામાં પોઝિટિવ દર હાલમાં 9.93 ટકા છે, જ્યારે મૃત્યુ દર 2.35 ટકા રહ્યો છે.

આ પણ વાંચો: Naxal Attack: ગુમ થયેલા કોબ્રા કમાન્ડોનો પહેલો ફોટો સામે આવ્યો, નક્સલવાદીઓએ પત્રકારને મોકલી આ તસ્વીર

આ પણ વાંચો: ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, આગામી ચાર અઠવાડિયા ખુબ મહત્વના: કેન્દ્ર સરકાર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">