COVID-19 Vaccine: બાળકોની કોરોના રસીમાં થશે વિલંબ, ZyCov-D ની કિંમત નક્કી કરવામાં થઈ રહી છે સમસ્યા

ZyCov-D Vaccine: ઝાયકોવ-ડી રસી ભારતીય ફાર્મા કંપની ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેને ફાર્માજેટ સોય વગરની ટેકનોલોજીની મદદથી આપવામાં આવશે.

COVID-19 Vaccine: બાળકોની કોરોના રસીમાં થશે વિલંબ, ZyCov-D ની કિંમત નક્કી કરવામાં થઈ રહી છે સમસ્યા
ZyCov-D Vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 6:51 PM

બાળકો માટેની રસીમાં (Corona Vaccine) વિલંબ થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રસીની કિંમત અંગે સંબંધિત કંપની સાથે વાતચીત ચાલી રહી છે. આ કારણોસર બાળકોને રસી આપવામાં વિલંબ થશે.

આ પહેલા મંત્રાલય તરફથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં બાળકોની રસી ઝાયકોવ-ડી (ZyCov-D) આવશે અને બાળકોને તે મળવાનું પણ શરૂ થશે. ઝાયકોવ-ડી રસી ભારતીય ફાર્મા કંપની ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવવામાં આવી છે. જેને ફાર્માજેટ સોય વગરની ટેકનોલોજીની મદદથી આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ રસીના વિલંબથી આગમનનું સૌથી મોટું કારણ તેની કિંમત છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કિંમત અંગે રસી બનાવતી કંપની સાથે વાતચીત ચાલી રહી છે અને આ વાતચીત અંતિમ તબક્કામાં છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સોય મુક્ત રસી ગન અને એપ્લીકેટરની મદદથી આપવામાં આવશે. જેમાં ગનની કિંમત 30,000 રૂપિયા અને એપ્લીકેટરની કિંમત 90 રૂપિયા હશે. એકવાર ગનનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી 20,000 ડોઝ આપી શકાય છે. 20 હજાર ડોઝ આપ્યા બાદ ગન બદલવામાં આવશે. રસીના દરેક ડોઝમાં બે શોટ હોય છે, તેથી ગનની ટોચ પરના એપ્લીકેટરનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે.

ઝાયકોવ-ડી અન્ય રસીઓથી અલગ છે

12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ઝાયકોવ-ડી આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં આપવામાં આવી રહેલી બીજી કોરોના રસીથી આ સંપૂર્ણપણે અલગ છે. તેથી, તેની કિંમત અલગથી સેટ કરવાની જરૂર પડશે. આ એક સોય મુક્ત રસી છે એટલે કે તેમાં કોઈ સોયનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

રસીની માત્રા શું છે

આ રસી બંને હાથમાં ત્રણ વખત આપવામાં આવશે. જેને આ રસી આપવામાં આવશે તેને ત્રણ ડોઝમાં, બંને હાથમાં ત્રણ શોટ લેવા પડશે. આ ત્રણ ડોઝની રસીનો બીજો ડોઝ 28 દિવસમાં અને ત્રીજો 56 દિવસમાં આપવામાં આવશે. દરેક ડોઝમાં બે શોટ આપવામાં આવશે. એટલે કે, 6 શોટ પછી જ કોઈને સંપૂર્ણ રસી આપવામાં આવેલા ગણાશે.

સોય મુક્ત તકનીક શું છે

તેમાં સોયની જરૂર નથી. સોય વગરના ઈન્જેક્શનમાં દવા ભરવામાં આવે છે, પછી તેને મશીનમાં મૂકીને હાથ પર લગાવવામાં આવે છે. મશીન પર બટન દબાવવાથી દવા શરીરની અંદર પહોંચી જાય છે. તેમાં પીડા નહિવત છે.

આ પણ વાંચો: ‘ખેડૂતો સાથે ફરી વાત કરો – કરતારપુર કોરિડોર ઝડપથી ખોલવો જોઈએ’, પીએમ મોદી સાથેની પ્રથમ બેઠકમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કરી માગ

આ પણ વાંચો: Maharashtraમાં ફરી એકવાર છવાયા ચિંતાના વાદળો, થાણેમાં કોરોનાના 241 નવા કેસ નોંધાયા, ચાર લોકોના મોત

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">