કોરોના વાઈરસના દર્દીએ ટ્રેનમાં મુસાફરી કરી, 100થી વધારે લોકો આવ્યા સંપર્કમાં!
કોરોના વાઈરસના લીધે દેશમાં વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. તમામ મોટા આયોજન સરકારે કેન્સલ કરી દીધા છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ બધાની વચ્ચે કોરોના વાઈરસના દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી રહ્યાં છે તેના લીધે ચેપ લાગવાનો ડર છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]
કોરોના વાઈરસના લીધે દેશમાં વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. તમામ મોટા આયોજન સરકારે કેન્સલ કરી દીધા છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ બધાની વચ્ચે કોરોના વાઈરસના દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી રહ્યાં છે તેના લીધે ચેપ લાગવાનો ડર છે.
આ પણ વાંચો : કોરોનાના સંકટને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 25 માર્ચ સુધી બંધ
ભુવનેશ્વર એક્સપ્રેસમાં એક કોરોના વાઈરસના એક પોઝિટીવ દર્દીએ સફર કરી હતી. દર્દીએ ખુલાસો કર્યો છે કે 100થી વધારે લોકો તેના સંપર્કમાં આવ્યા હતા. જેમાં 76 તેમના સહયાત્રીઓ હતા. જો વ્યક્તિ ટ્રાવેલ હિસ્ટ્રી જાણીએ તો આ વ્યક્ત ઈટલીથી ભારત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈટલીમાં કોરોનાના વધારે કેસ નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ વાઈરસના દર્દીની સાથે સંપર્કમાં આવેલાં કેટરિંગના બે કર્મચારીઓને પણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓ વધી રહ્યાં છે અને તેની સંખ્યા 126 સુધી પહોંચી ગઈ છે. જો કે રેલવેની આ ઘટના બાદ ટીટીઈ અને અન્ય સ્ટાફને પણ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેને રજા આપવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]