દેશના 146 જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નહીં: સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને (Dr Harsh Vardhan) ભારતમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોના (Corona case)ના કેસ પર એક રિપોર્ટ રજૂ કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને (Dr Harsh Vardhan) ભારતમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોના (Corona case)ના કેસ પર એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ દરમિયાન તેમને કહ્યું છેલ્લા 7 દિવસમાં દેશના 146 જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ દાખલ થયો નથી. હર્ષવર્ધને આ વાતની જાણકારી કોરોનાને લઈ થયેલી ઉચ્ચ સ્તીરય મંત્રીઓના સમૂહની 23મી બેઠકમાં આપી છે. તેમને કહ્યું કે દેશમાં કોરોના માટે ઉઠાવેલા પગલા અને અત્યાર સુધી કરેલા 19.5 કરોડથી વધારે ટેસ્ટના કારણે આ સંભવ થઈ શક્યુ છે.
At the 23rd GoM Meeting on #COVID19 held today, I was pleased to share that 147 districts in the country haven't observed a single case of #COVID_19 in last 7 days.
With 1 cr+ people having recovered, our recovery rate has reached almost 97%@PMOIndia @MoHFW_INDIA pic.twitter.com/M6eFA0nJiM
— Dr Harsh Vardhan (@drharshvardhan) January 28, 2021
તેમને કહ્યું કે 18 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોરોનાનો એક પણ કેસ દાખલ થયો નથી, ત્યારે 6 જિલ્લા એવા છે જ્યાં 21 દિવસમાં અને 21 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. હાલમાં 1.73 લાખ એક્ટિવ કેસમાંથી 0.46 ટકા દર્દી વેન્ટિલેટર પર, 2.20 ટકા દર્દી ICUમાં અને 3.02 ટકા ઓક્સિજન સપોર્ટ પર છે. ત્યારે દેશમાં નવા કોરોના વાઈરસના 165 કેસ સામે આવ્યા છે અને તે દર્દીઓને નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: CBSE EXAMS 2021: 2 ફેબ્રુઆરીએ જાહેર થશે ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ