Covid-19: દેશમાં આવતીકાલે કોરોના રસીનો ડ્રાય રન, રાજ્યોને કાળજી રાખવા આરોગ્ય મંત્રીની અપીલ
દેશના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને 8 જાન્યુઆરીના રોજ યોજાનારી Covid-19ની રોકથામ માટેની કોરોના વેક્સિનના ડ્રાય રનની રાજ્યની તૈયારીઓ અંગે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી.
દેશના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને 8 જાન્યુઆરીના રોજ યોજાનારી Covid-19ની રોકથામ માટેની કોરોના વેક્સિનના ડ્રાય રનની રાજ્યની તૈયારીઓ અંગે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે હાલ સરકારે બે વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ તેમણે તમામ રાજ્યોમાં આરોગ્ય મંત્રીઓ અને વહીવટીતંત્રને ડ્રાય રનમાં પૂરતી કાળજી રાખવા માટે અપીલ કરી હતી. તેમજ કોરોના વેક્સિન અંગે કોઈપણ ખોટી માહિતી ના ફેલાઈ તે માટે કાળજી લેવા માટે અપીલ કરી હતી.
આ ઉપરાંત આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિનના ડ્રાય રન ઉપરાંત હાલ દેશમાં ચાલી રહેલા અન્ય રસીકરણ પ્રોગ્રામ પર પણ ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હાલ 17 જાન્યુઆરીના રોજ પોલિયો અભિયાને ચલાવવામાં આવશે. દુનિયાના ભારત સહિત મોટાભાગના દેશ પોલિયોમુક્ત થયા છે. પરંતુ અમારા નજીકના બે દેશમાં પોલિયાના ટાઈપ-1ના 123 કેસ મળ્યા છે. જેથી ભારત માટે આ મહત્વનું છે, તેમજ દેશના નેશનલ એક્સપર્ટ ગ્રુપે આની ભલામણ કરી છે.
આ પણ વાંચો: આ બેંકો આપી રહી છે ફિક્સ ડિપોઝિટવાળા ગ્રાહકોને આરોગ્ય વીમો, જાણો તમે કઈ રીતે મેળવી શકશો લાભ