Covid- 19 : ડોક્ટર ગુલેરિયાએ આપ્યા 3 કારણો, જેના કારણે WHOના રિપોર્ટ પર વિશ્વાસ ન કરી શકાય

કોરોનાથી (Covid- 19) નીપજેલા મોતને લઈને જાહેર કરવામાં આવેલા WHOના રિપોર્ટ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ આ આંકડાઓને સાચા માન્યા નથી.

Covid- 19 : ડોક્ટર ગુલેરિયાએ આપ્યા 3 કારણો, જેના કારણે WHOના રિપોર્ટ પર વિશ્વાસ ન કરી શકાય
Dr Randeep Guleria (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 11:40 AM

તાજેતરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોરોનાથી (Covid -19) થયેલા મૃત્યુને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટને લઈને વિવાદ (Conflict) ઉભો થયો છે. જેમાંથી, એક વાંધો ભારતે (India) જ નોંધાવ્યો છે. તેથી સ્પષ્ટ થઈ ગયું છે કે WHO દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પર વિશ્વાસ કરી શકાય નહીં. હવે AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ આ તરફ ધ્યાન દોર્યું છે. તાજેતરમાં, તેમની તરફથી 3 મોટા કારણો આપવામાં આવ્યા છે, જેના કારણે WHOના કોવિડ -19 અંગેના રિપોર્ટ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.

તેઓ કહે છે કે ભારતમાં જન્મ-મૃત્યુના ડેટાને રેકોર્ડ કરવાની પદ્ધતિસરની પદ્ધતિ છે, જેમાં કોવિડ- 19 સિવાયના તમામ પ્રકારના મૃત્યુ નોંધવામાં આવે છે. જ્યારે આ ડેટાનો ઉપયોગ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવ્યો નથી.

બીજા કારણ અંગે, ડૉ. ગુલેરિયાએ કહ્યું છે કે, WHOએ જે ડેટા એકત્ર કર્યો છે તે વિશ્વસનીય નથી. તે ગમે તે સોર્સમાંથી લેવામાં આવ્યો છે. ખાસ કરીને, અપ્રમાણિત સ્ત્રોતોમાંથી, મીડિયા રિપોર્ટ્સમાંથી અથવા અન્ય કોઈ સ્ત્રોતમાંથી જે અવૈજ્ઞાનિક છે તેમાંથી એકત્ર કરવામાં આવ્યો છે. હાલમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જ્યાંથી પણ કોવિડ -19 અંગે ડેટા લીધો છે, તેની વિશ્વસનીયતા પર વિશ્વાસ ન કરી શકાય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ઉપરાંત, ડૉ. ગુલેરિયાએ કોરોનાથી નીપજેલા મૃત્યુ બાદ પીડિતોના પરિવારોને આપવામાં આવતા વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. જો આટલા લોકો મૃત્યુ પામ્યા હોત તો તેમના પરિવારજનોએ સરકાર પાસે આર્થિક મદદ માંગી હોત. આ સંદર્ભમાં, તેઓ કહે છે કે ભારત સરકારે કોવિડ- 19ને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને વળતરની જોગવાઈ કરી છે. જો કે, તેના પર પણ વિશ્વાસ કરી શકાય નહીં.

અગાઉ, નીતિ આયોગના સભ્ય વીકે પૌલે પણ WHOના આંકડાને સાચા માન્યા ન હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારતમાં પહેલાથી જ કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોના આંકડા છે, ત્યારે આવી સ્થિતિમાં WHOના મોડેલ પર ધ્યાન આપી શકાય નહીં; કે જ્યાં માત્ર અંદાજિત આંકડા જ જાહેર કરવામાં આવ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">