Covid- 19 : ડોક્ટર ગુલેરિયાએ આપ્યા 3 કારણો, જેના કારણે WHOના રિપોર્ટ પર વિશ્વાસ ન કરી શકાય
કોરોનાથી (Covid- 19) નીપજેલા મોતને લઈને જાહેર કરવામાં આવેલા WHOના રિપોર્ટ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ આ આંકડાઓને સાચા માન્યા નથી.
તાજેતરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોરોનાથી (Covid -19) થયેલા મૃત્યુને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટને લઈને વિવાદ (Conflict) ઉભો થયો છે. જેમાંથી, એક વાંધો ભારતે (India) જ નોંધાવ્યો છે. તેથી સ્પષ્ટ થઈ ગયું છે કે WHO દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પર વિશ્વાસ કરી શકાય નહીં. હવે AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ આ તરફ ધ્યાન દોર્યું છે. તાજેતરમાં, તેમની તરફથી 3 મોટા કારણો આપવામાં આવ્યા છે, જેના કારણે WHOના કોવિડ -19 અંગેના રિપોર્ટ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.
તેઓ કહે છે કે ભારતમાં જન્મ-મૃત્યુના ડેટાને રેકોર્ડ કરવાની પદ્ધતિસરની પદ્ધતિ છે, જેમાં કોવિડ- 19 સિવાયના તમામ પ્રકારના મૃત્યુ નોંધવામાં આવે છે. જ્યારે આ ડેટાનો ઉપયોગ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવ્યો નથી.
બીજા કારણ અંગે, ડૉ. ગુલેરિયાએ કહ્યું છે કે, WHOએ જે ડેટા એકત્ર કર્યો છે તે વિશ્વસનીય નથી. તે ગમે તે સોર્સમાંથી લેવામાં આવ્યો છે. ખાસ કરીને, અપ્રમાણિત સ્ત્રોતોમાંથી, મીડિયા રિપોર્ટ્સમાંથી અથવા અન્ય કોઈ સ્ત્રોતમાંથી જે અવૈજ્ઞાનિક છે તેમાંથી એકત્ર કરવામાં આવ્યો છે. હાલમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જ્યાંથી પણ કોવિડ -19 અંગે ડેટા લીધો છે, તેની વિશ્વસનીયતા પર વિશ્વાસ ન કરી શકાય.
આ ઉપરાંત, ડૉ. ગુલેરિયાએ કોરોનાથી નીપજેલા મૃત્યુ બાદ પીડિતોના પરિવારોને આપવામાં આવતા વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. જો આટલા લોકો મૃત્યુ પામ્યા હોત તો તેમના પરિવારજનોએ સરકાર પાસે આર્થિક મદદ માંગી હોત. આ સંદર્ભમાં, તેઓ કહે છે કે ભારત સરકારે કોવિડ- 19ને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને વળતરની જોગવાઈ કરી છે. જો કે, તેના પર પણ વિશ્વાસ કરી શકાય નહીં.
અગાઉ, નીતિ આયોગના સભ્ય વીકે પૌલે પણ WHOના આંકડાને સાચા માન્યા ન હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારતમાં પહેલાથી જ કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોના આંકડા છે, ત્યારે આવી સ્થિતિમાં WHOના મોડેલ પર ધ્યાન આપી શકાય નહીં; કે જ્યાં માત્ર અંદાજિત આંકડા જ જાહેર કરવામાં આવ્યા છે.