Corona Virus: સિંગાપુર વેરિઅન્ટ બની શકે છે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ: CM અરવિંદ કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સિંગાપુરમાં મળેલા કોરોના વાઈરસના નવા વેરિઅન્ટને લઈ કેન્દ્ર સરકારને ચેતવી છે અને કહ્યું કે આ વેરિઅન્ટ ભારતમાં સંક્રમણની ત્રીજી લહેરનું કારણ હોય શકે છે.
Corona Virus: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સિંગાપુરમાં મળેલા કોરોના વાઈરસના નવા વેરિઅન્ટને લઈ કેન્દ્ર સરકારને ચેતવી છે અને કહ્યું કે આ વેરિઅન્ટ ભારતમાં સંક્રમણની ત્રીજી લહેરનું કારણ હોય શકે છે. કેજરીવાલે વાયરસને ખૂબ જ ખતરનાક કહ્યું અને પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી કે તેઓ સિંગાપુરથી આવનારી ઉડાનો પર રોક લગાવે અને દેશમાં બાળકોના રસીકરણને પ્રમુખતા આપે.
सिंगापुर में आया कोरोना का नया रूप बच्चों के लिए बेहद ख़तरनाक बताया जा रहा है, भारत में ये तीसरी लहर के रूप में आ सकता है।
केंद्र सरकार से मेरी अपील:1. सिंगापुर के साथ हवाई सेवाएं तत्काल प्रभाव से रद्द हों2. बच्चों के लिए भी वैक्सीन के विकल्पों पर प्राथमिकता के आधार पर काम हो
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2021
સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે સિંગાપુરમાં આવેલું કોરોનાનું નવુ રુપ બાળકો માટે ખતરનાક હોય તેમ જણાવવામાં આવી રહ્યુ છે. ભારતમાં આ ત્રીજી લહેરના રુપમાં આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ 1. સિંગાપુર સાથે હવાઈ સેવાઓ તત્કાળ પ્રભાવથી રદ થાય. 2. બાળકો માટે રસીકરણના વિકલ્પો પર પ્રાથમિકતાના આધાર પર કામ થાય.