Corona Virus: સંકટના સમયમાં સ્ટાર્ટ-અપ કંપનીઓ પાસેથી મદદ લેશે સરકાર, 31મે સુધી કરી શકાશે અરજી

કોવિડ-19ની (Covid-19) બીજી લહેરમાં હવે કેન્દ્ર સરકાર સ્ટાર્ટ-અપ (Start-Up) અને ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપનીઓની મદદ લેવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રાૌદ્યૌગિકી મંત્રાલયે દેશના સ્ટાર્ટ-અપ અને કંપનીઓ પાસેથી અરજી મંગાવી છે.

Corona Virus: સંકટના સમયમાં સ્ટાર્ટ-અપ કંપનીઓ પાસેથી મદદ લેશે સરકાર, 31મે સુધી કરી શકાશે અરજી
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 21, 2021 | 4:59 PM

Corona Virus: કોવિડ-19ની (Covid-19) બીજી લહેરમાં હવે કેન્દ્ર સરકાર સ્ટાર્ટ-અપ (Start-Up) અને ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપનીઓની મદદ લેવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રાૌદ્યૌગિકી મંત્રાલયે દેશના સ્ટાર્ટ-અપ અને કંપનીઓ પાસેથી અરજી મંગાવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જેથી કરીને ટેક્નોલોજી અને પ્રોડક્ટસ દ્વારા આ સંકટનો સામનો કરી શકાય. મંત્રાલયે આ માટે એક પ્રેસ રિલીઝ જાહેર કરી અને કહ્યું કે કોવિડના હાલના પડકારોનો સામનો કરવા માટે નવી ટેક્નોલોજીની મદદ મળશે અને આ માટે 31મે સુધી અરજી જમા કરાવી શકાશે. વિજ્ઞાન મંત્રાલયે NIDHI4COVID2.0 નામથી એક નવી પહેલની શરુઆત કરી છે. જે અંતર્ગત કંપનીઓ આવેદન આપી શકે છે.

આના દ્વારા ભારતમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટ -અપ કંપનીઓને આર્થિક મદદ આપવામાં આવશે. ઓક્સિજન ઈનોવેશન, સરળતાથી લાવવા લઈ જવાનો સામાન, મેડિકલ સહાયતા સાથે જોડાયેલા ઉપકરણો, સારવાર માટે ટેક્નીકલ મદદ અને કોવિડ-19 લડાઈ સાથે જોડાયેલી બીજી વસ્તુઓ દ્વારા સમાધાન આપી શકશે.

વિજ્ઞાન મંત્રાલયે કહ્યું કે હાલની સ્થિતિમાં બજારમાં નવી ટેક્નોલોજી અને પ્રોડક્ટસ લાવવામાં સ્ટાર્ટ-અપ્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આનાથી કોવિડ સામેની લડાઈમાં દેશ અલગ-અલગ ફ્રંટ પર મજબૂત બનશે. કેટલાક સ્ટાર્ટ-અપ્સની ટેકનોલોજી પહેલેથી કારગર છે.

પરંતુ તેને ફાઈનાન્શીયલ અને માર્કેટ સપોર્ટની જરુર છે, જેથી તે આગળ વધી શકે. આ પહેલ વિજ્ઞાન મંત્રાલય અંતર્ગતના નેશનલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડનું (NSTEDB) વિશેષ અભિયાન છે. આ સમયે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ જેવા મેડિકલ ઉપકરણ બનાવવા માટે જે પ્રોડક્ટસના પાર્ટસની જરુર છે, તેને આયાત કરવામાં આવી રહ્યા છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યૌગિકી મંત્રાલયનો ઉદેશ્ય છે કે આવી પ્રોડક્ટસ ભારતમાં બનાવવામાં આવે. આના માટે મંત્રાલય આર્થિક મદદ આપશે. યોગ્ય સ્ટાર્ટ-અપ્સને નાણાકીય મદદ આપવામાં આવશે અને પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીને આગળ વધારવામાં સહયોગ કરવામાં આવશે. dstnidhi4covid.in પર આવેદન સાથે જોડાયેલી પ્રકિયા અને યોગ્યતા જોઈ શકાશે.

આ પણ વાંચો: Barge P305 : તાઉતે વાવાઝોડામાં 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયેલા બાર્જના કેપ્ટન પર FIR નોંધાઈ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">