Coronavirus : આવનારા દિવસોમાં બે ગણા થઇ શકે છે કોરોનાના આંકડા IISના વૈજ્ઞાનિકોની ચેતવણી
Coronavirus : બેંગલોરમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાની (IIS) એક ટીમે એક ગણિતીય મૉડલની મદદથી ભવિષ્યવાણી કરી કે જો દેશમાં આવી રીતે જ કોરોનાના કેસ વધતા રહેશે અને અત્યારે જે પ્રકારે આંકડા આવી રહ્યા છે તે આમ જ રહેશે તો 11 જૂન સુધી લગભગ 4 લાખ 4 હજાર મોત નોંધવામાં આવશે.
Coronavirus : બેંગલોરમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાની (IIS) એક ટીમે એક ગણિતીય મૉડલની મદદથી ભવિષ્યવાણી કરી કે જો દેશમાં આવી રીતે જ કોરોનાના કેસ વધતા રહેશે અને અત્યારે જે પ્રકારે આંકડા આવી રહ્યા છે તે આમ જ રહેશે તો 11 જૂન સુધી લગભગ 4 લાખ 4 હજાર મોત નોંધવામાં આવશે. ભારતને નુકસાન પહોંચાડનારા કોરોના વાયરસની બીજી લહેર આવનારા અઠવાડિયામાં ખરાબ થવાની સંભાવના છે. કેટલાક લોકો અનુમાન લગાડી રહ્યા છે કે મરનારા લોકોની સંખ્યા બે ગણી વધી શકે છે.
બેંગલોરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સની ટીમે 11 જૂન સુધી 4 લાખ 4 હજાર મોત થવાનુ અનુમાન લગાડવામાં આવી રહ્યુ છે. વોશિંગટન વિશ્વવિધાલયમાં ઇનસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનના એક મૉડલને જુલાઇના અંત સુધી 1 કરોડ 18 હજાર 879 મોતનું અનુમાન લગાવ્યુ છે. ભારત જેવા દેશમાં કોરોના વાયરસના કેસની ભવિષ્યવાણી કરવી કઠિન થઇ શકે છે.
ભારતમાં સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો જેવા કે કોરોના ટેસ્ટ અને સોશિયલ ડિસટન્સને વધારવું જરુરી છે. અગર આ અનુમાન ટાળી પણ દઇએ તો પણ ભારત દુનિયામાં સૌથી વધારે કોરોનાથી થનારા મૃત્યુઓનો શિકાર થઇ શકે છે. વર્તમાનમાં અમેરિકામાં લગભગ 5 લાખ 78 હજાર લોકોની મોતની સંખ્યા સૌથી વધારે છે. ભારતે 3 લાખ 82 હજાર 315 કેસ સાથે બુધવારે 3 હજાર 780 મૃત્યુ નોંધાયા.