આંધ્રપ્રદેશમાં 21 ઓગસ્ટ સુધી લંબાવાયો કર્ફ્યુુ, 150 થી વધારે લોકોને લગ્ન અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રવેશ નહી

આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 375 જેટલી ઘટી છે જેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 17,865 પર આવી ગઈ છે, જ્યારે રવિવારે કોરોનાના 1,506 નવા કેસ નોંધાયા છે અને 1,835 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આંધ્રપ્રદેશમાં 21 ઓગસ્ટ સુધી લંબાવાયો કર્ફ્યુુ, 150 થી વધારે લોકોને લગ્ન અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રવેશ નહી
કોરોના વાયરસ (સાંકેતીક તસવીર)ઝ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 10:25 PM

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ધીમે ધીમે ઘટી રહ્યો છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો, સાવચેતીના તમામ પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન, આંધ્રપ્રદેશના લગભગ અડધા જિલ્લાઓમાં કોરોના વાયરસના નોંધપાત્ર નવા કેસો જોવા મળ્યા છે, ત્યારબાદ રાજ્ય સરકારે કોવિડ કર્ફ્યુ 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે.

મુખ્ય આરોગ્ય સચિવ અનિલ કુમાર સિંઘલે જણાવ્યું હતું કે, કોવિડ -19 ની પરિસ્થિતિ અને સંક્રમણના કેસોની સંપૂર્ણ સમીક્ષાને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો કર્ફ્યુ સિવાયના સમયમાં પણ ચાલુ રહેશે. લગ્ન, ફંક્શનો અને ધાર્મિક કાર્યોમાં 150 લોકોથી વધુ ન હોવા જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સિંઘલે કહ્યું, “તમામ પ્રસંગો અને કાર્યોમાં કોવિડ ગાઈડ લાઈનનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે. ઉલ્લંઘન કરનાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને IPC હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત મુખ્ય સચિવે જિલ્લા મેજિસ્ટ્રેટ, કમિશનરો અને પોલીસ અધિક્ષકોને આદેશોનું ચુસ્તપણે પાલન કરાવા માટે નિર્દેશ આપ્યો હતો.

આંધ્રપ્રદેશમાં કોરોનાના આંકડા

આંધ્રપ્રદેશમાં, કોરોના વાયરસ સંક્રમણની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 375 ઘટી હતી. જેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 17,865 થઈ ગઈ છે, જ્યારે રવિવારે કોરોનાના 1,506 નવા કેસ નોંધાયા છે જ્યારે 1,835 દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં  આવ્યું હતું કે રવિવારે સવારે 9 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોવિડ -19 થી અસરગ્રસ્ત લોકોની કુલ સંખ્યા હવે વધીને 19,93,697 થઈ ગઈ છે.

બુલેટિનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં 19,62,185 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે અને મૃત્યુઆંક 13,647 છે. પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી 319, ચિત્તૂરમાં 217, એસપીએસ નેલ્લોરમાં 181, પશ્ચિમ ગોદાવરીમાંથી 170, ગુંટૂરમાં 162 અને પ્રકાશમથી 102 નવા કેસ નોંધાયા છે.

બાકીના સાત જિલ્લાઓમાં દરેકમાં 100 થી ઓછા નવા કેસ નોંધાયા છે. ચિત્તૂર અને કૃષ્ણા જિલ્લામાં ચાર -ચાર, પૂર્વ ગોદાવરી અને વિશાખાપટ્ટનમમાં બે -બે, જ્યારે ગુંટુર, શ્રીકાકુલમ, એસપીએસ નેલ્લોર અને પશ્ચિમ ગોદાવરીમાં એક -એક દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો : Indian Railway News: હવે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં પહોંચતા 12 કલાક લાગશે, જાણો કઈ રીતે

આ પણ વાંચો : ભારત કરી રહ્યું છે 3 અરબ ડોલરના ફોનની નિકાસ, ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પર મોદીએ આપ્યું આ મહત્વનું નિવેદન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">