Corona Warriors આને કહેવાય, જાણો છો કોરોનાને કેટલી વાર હરાવ્યો? કેટલાની જીંદગી બચાવી? તો વાંચો અમારી આ ખાસ પોસ્ટ

આ સ્ટોરી એક એવા વ્યક્તિની છે કે જે એક બે નહી પરંતુ 4 વાર કોરોના સંક્રમિત થઇને સાજા થયા છે. સાથે જ તેમણે બે વાર પ્લાઝ્માં ડોનેટ કરીને લોકોની જીંગદી બચાવી છે.

Corona Warriors આને કહેવાય, જાણો છો કોરોનાને કેટલી વાર હરાવ્યો? કેટલાની જીંદગી બચાવી? તો વાંચો અમારી આ ખાસ પોસ્ટ
યોગેન્દ્ર બૈસોયા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 07, 2021 | 2:23 PM

કોરોનાના કપરા કાળમાં સમગ્ર દેશમાં ચિંતામય વાતાવરણ બની ગયુ છે. સોશિય મીડિયામાં કોરોનાને લઇને કેટલીક સ્ટોરી એવી છે જે આંખોમાં પાણી લાવી દે અને કેટલીક સ્ટોરી એવી છે જે વાંચીને તમને ગર્વ અનુભવાય અને તમને હિંમત મળે. એવી જ એક પોઝીટીવ વાત લઈને અમે આવ્યા છીએ. આ સ્ટોરી એક એવા વ્યક્તિની છે કે જે એક બે નહી પરંતુ 4 વાર કોરોના સંક્રમિત થઇને સાજા થયા છે. સાથે જ તેમણે બે વાર પ્લાઝ્માં ડોનેટ કરીને લોકોની જીંદગી બચાવી છે.

સાઉથ દિલ્લીના કોટલા મુબારક સ્થિત રૈખપુર ગામના રહેવાસી 37 વર્ષીય યોગેન્દ્ર બૈસોયા કે જેઓને 4 વાર કોરોના થઇ ચૂક્યો છે. તેઓએ દર વખતે હિંમત રાખી કોરોનાનો સામનો કર્યો. પોતાના સકારાત્મક વિચારોને કારણે તેઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા એટલું જ નહીં પરંતુ સારા થયા બાદ તેમણે 2 વાર પ્લાઝ્મા ડોનેટ કરીને લોકોની જીંદગી પણ બચાવી છે.

તેમનો પરિવાર પણ આ દરમિયાન કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. તેમને જ્યારે બીજી વાર કોરોના થયો ત્યારે તો તેમને ઓક્સિજન સપોર્ટ પર પણ રાખવામાં આવ્યા હતાં તેમ છતાં તેમણે હાર નહી માની અને સકારાત્મક રહીને કોરોનાને હરાવ્યો. ચોથી વાર જ્યારે તેમને કોરોના થયો ત્યારે તેમણે નક્કી કર્યુ કે તે હોસ્પિટલમાં નહીં જાય અને ઘરે જ પોતાનો ઇલાજ કરશે. યોગેન્દ્રએ આ વખતે ઘરે જ રહીને ઓક્સિજન સપોર્ટ વગર કોરોનાને ફરીથી હરાવ્યો છે.વારંવાર તેમને કોરોના થવાથી તેમના પરિવારના લોકોને ચિંતા થઇ રહી હતી માટે જ હવે તેઓ સાફ અને કુદરતી હવામાં રહેવા માટે પોતોના પરિવાર સાથે ફરિદાબાદના બુઆપુર ગામ પોતાના સાસરે જતા રહ્યા. ત્યાં જઇને તેમણે જોયુ તો ત્યાંના લોકો દિલ્લી કરતા વધુ સારી રીતે કોવિડ પ્રોટોકોલ ફોલોવ કરતા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એક એમએનસી કંપનીમાં કામ કરનાર યોગેન્દ્રના પરિવારમાં તેમના માતા પિતા, પત્નિ અને બે બાળકો પણ છે. તેમની પત્નિ પણ તેમની સાથે તેમની કંપનીમાં જ કામ કરે છે. ગત વર્ષે જૂનમાં કોરોના સંક્રમિત થયા બાદ એક મહિનાની સારવાર બાદ તેઓ સાજા થયા હતા. ત્રીજી વાર તેઓ જાન્યુઆરી અને ચોથી વાર ગત મહિને જ પોઝિટીવ થયા હતા. આ સમય દરમિયાન તેમણે ઘણી મુસિબતોનો સામનો કર્યો. તેમનું માનવું છે કે તેઓ કોરોના પ્રોટોકોલ તોડવા અને ઓવર કોન્ફિડેન્સના કારણે તેઓ કોરોના સંક્રમિત થયા. તેઓ પોતાને ખૂબ ભાગ્યશાળી સમજે છે કે ચાર વાર કોરોના થયા બાદ પણ તેઓ સાજા થઇ ગયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">