દેશના આ રાજ્યોમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ ફરજીયાત, તહેવારોને કારણે લેવાયો આ મહત્વપુર્ણ નિર્ણય

દેશમાં મોટી સંખ્યામાં લોકોને રસીના બંને ડોઝ અપાય ગયા છે. કેટલાક રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે રસીના બંને ડોઝ લઈ લીધેલા લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

દેશના આ રાજ્યોમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ ફરજીયાત, તહેવારોને કારણે લેવાયો આ મહત્વપુર્ણ નિર્ણય
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 10:32 PM

કોરોના મહામારી (Corona Virus)ની ત્રીજી લહેરની આશંકા વચ્ચે  ઘણા રાજ્યોએ અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ફરીથી નેગેટિવ RTPCR રિપોર્ટનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. જો કે હવેની સ્થિતી અગાઉની પરિસ્થિતિથી કરતા અલગ છે.  જે લોકોને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે તેઓ તેમનું રસીકરણનું પ્રમાણપત્ર બતાવી શકે છે અને તેમને કોવિડ રિપોર્ટની જરૂર રહેશે નહીં. બીજું કેટલાક કારણોસર સ્થાનિક લોકોને કોરોના રિપોર્ટની જરૂર પડશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દેશમાં હાલની કોવિડ -19ની પરિસ્થિતિ થોડા રાજ્યો સિવાય અંકુશમાં છે, પરંતુ કેન્દ્ર સતત ચેતવણી આપી રહ્યું છે કે બેદરકાર બનવાની જરૂર નથી કારણ કે ઓગસ્ટમાં મોહરમ, ઓનામ, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી સહિત ઘણા તહેવારો આવે છે. આવી પરીસ્થિતિમાં આ મુસાફરી માટેના પ્રતિબંધોને નિવારક પગલાં તરીકે જોઈ શકાય છે.

અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે આ રાજ્યોમાં RT-PCR ટેસ્ટ જરૂરી

તમિલનાડુ (કેરળથી આવતા લોકો માટે)

કર્ણાટક (મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકો માટે)

હિમાચલ પ્રદેશ (તમામ પ્રવાસીઓ માટે)

છત્તીસગઢ (તમામ પ્રવાસીઓ માટે)

ગોવા (કેરળથી આવતા લોકો માટે)

પંજાબ (તમામ પ્રવાસીઓ માટે)

પશ્ચિમ બંગાળ (પૂણે, મુંબઈ અને ચેન્નઈના પ્રવાસીઓ માટે)

મહારાષ્ટ્ર (તમામ પ્રવાસીઓ માટે)

ઉત્તર પ્રદેશ (મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુના પ્રવાસીઓ માટે)

RT-PCR ટેસ્ટ રિપોર્ટ અને વેક્સિનેશન બંનેમાંથી કોઈ એક ફરજીયાત

ભારતમાં મોટી સંખ્યામાં લોકોને  રસીના બંને ડોઝ અપાઈ ગયા છે. કેટલાક રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે વેક્સીનના બંને ડોઝ લીધેલા લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પરંતુ કેટલાક અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વેક્સિન સર્ટીફીકેટ પૂરતું નથી. તાજેતરના RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે. ઉદાહરણ તરીકે બેંગલુરુમાં  અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકોએ આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવો પડશે, પછી ભલે તેમને  રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હોય.

ડ્યુટી જોઈન કરવા માટે દારૂ ખરીદવા અને ફ્લેટમાં દાખલ થવા માટે આરટી-પીસીઆર રિપોર્ટ છે જરૂરી 

ઝારખંડમાં રજા પર ગયેલા સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે. કેરળમાં દુકાનોની મુલાકાત લેવા માટે RT-PCR રિપોર્ટ અથવા રસીનું પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું કે દારૂની દુકાનો સામે કતારમાં ઉભા રહેલા લોકોએ પણ નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ આપવો પડશે.

બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને અન્ય રાજ્યોમાંથી પરત આવતા એપાર્ટમેન્ટના રહેવાસીઓ માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત કર્યા છે. જો તેમની પાસે રિપોર્ટ નથી તો તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ આવે ત્યાં સુધી તેઓએ તેમના ફ્લેટમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

આ પણ વાંચો : Maharashtra: ‘જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ED અને CBI લગાવી દેવાશે’, CM ઠાકરેના PAને વોટ્સએપ પર મળી ધમકી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">