Covid-19: કેરળમાં કેમ વધી રહ્યાં છે કોરોનાના કેસ ? સ્થિતિનો તાગ મેળવવા નિષ્ણાંતોની ટીમને કેરળ મોકલશે કેન્દ્ર સરકાર

IMA ના સેક્રેટરી જનરલસ ડો જયેશ લેલેએ કહ્યુ કે સામાજીક મેળાવડાની બહુ મોટી અસર થાય છે. ઈદના તહેવાર ઉજવવા કેટલાક નિયંત્રણો લાદવા કેરળ સરકારને ચેતવી હતી પરંતુ રાજ્યે તેમની રીતે નિર્ણય કર્યો હતો

Covid-19: કેરળમાં કેમ વધી રહ્યાં છે કોરોનાના કેસ ? સ્થિતિનો તાગ મેળવવા નિષ્ણાંતોની ટીમને કેરળ મોકલશે કેન્દ્ર સરકાર
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 8:31 PM

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના (Corona) કેસ ફરીથી વધી રહ્યાં છે. આમ તો ઉતર પૂર્વના રાજ્યોમાંથી કોરોનાના કેસ વધુ આવી રહ્યાં છે. પરંતુ ચોકાવનારા આંકડાઓ કેરળથી (Kerala) સામે આવી રહ્યાં છે. બુધવારના રોજ દેશભરમાં કોરોનાના 43,654 કેસ સામે આવ્યા છે. તેમજ 640 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. આમા કેરળમાંથી 22129 કેસ સામે આવ્યા છે. કેરળમાં હાલ કોરોના પોઝીટીવ કેસની ટકાવારી 12.35 ટકા નોંધાઈ છે. જે 2.51 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણા વધુ છે.

કેરળમાં (Kerala) કોરોનાના કેસ વધવા અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી તજજ્ઞોની ટીમને કેરળમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર સતત કેરળની રાજ્ય સરકારના સંપર્કમાં છે. દિલ્લી AIIMSના તબીબ ડો સંજય રાયે જણાવ્યુ કે, કેરળમાં કેસ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ડો. રાયના મતઅનુસાર સીરો સર્વે રીપોર્ટ આધારે કહી શકાય કે ત્યા અતિસંવેદનશીલ સ્થિતિ છે.

સમગ્ર દેશમાં છેલ્લા 20 દિવસમાં કોરોનાના જે કોઈ કેસ નોંધાયા છે તેમાં બુધવારે નોંધાયેલા કેસ વધુ છે. બુધવારે નોંધાયેલા કેસમાંથી 50 ટકા કેસ એકલા કેરળના છે. તો બાકીના 30 ટકા કેસ મહારાષ્ટ્ર ( Maharashtra) અને ઉતર પૂર્વના રાજ્યોમાંથી ( North eastern state ) સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના કેસની સંખ્યા ચાર લાખથી ઘટીને 1 લાખ સુધી પહોચવામાં 37 દિવસનો સમય લાગ્યો હતો. હવે 51 દિવસથી કોરોનાના કેસનો આંકડો 40 હજારની આસપાસ પહોચી ગયો હતો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડાઓ ઉપર નજર કરીએ તો, કોરોના સંક્રમણના કેસ રોજના 4 લાખથી ઘટીને 2 લાખ સુધી પહોચવામાં 26 દિવસ લાગ્યા હતા. એ જ રીતે, 2 લાખથી કેસ ઘટીને 1 લાખે પહોચવામાં 11 દિવસનો સમય લાગ્યો હતો. એને એક લાખથી કેસ ઘટીને 50 હજાર થવામાં 20 દિવસ જ થયા હતા. છેલ્લા 31 દિવસથી કોરોનાના કેસની સંખ્યા 30થી 40 હજારની વચ્ચે આવતા હતા.

ઈન્ડિયન મેડિકલ એસોશિએશ (IMA)ના મહામંત્રી ડો જયેશ લેલેએ કહ્યુ કે, કોરોનાના કેસ ઉપર સામાજીક મેળવડાઓની અસર વધુ જોવા મળે છે. જેમ કે ઉતર પ્રદેશમાં કાવડ યાત્રા બંધ કરી દેવાઈ હતી અને ઈદનો તહેવાર ઉજવવામાં કેટલાક નિયંત્રણો લાદવા અંગે સરકારનુ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. પરંતુ રાજ્ય સરકારે તેમની રીતે નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, ગણેશ મહોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને મંજૂરી

આ પણ વાંચોઃ ગુજરાતમાં નૌસેના મથકથી ત્રણ કિલોમીટર સુધીમાં ઉડનારા ડ્રોનને ગોળી મારીને તોડી પડાશે, ભારતીય નૌસેનાએ આપી ચેતવણી

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">